SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ 991 ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ | નવમે પલવ નવમો પલવ એકદા રાજગૃહી નગરીમાં ને પાળ દેશથી કેટલાક વ્યાપારીઓ આવ્યા. નેપાળ દેશમાં બનેલી એક એક લાખ સેનામહોરેની કિંમતવાળી રત્નકંબળે લઈને વેચવા માટે આવ્યા. આ વસ્તુ રાજાને ભેગવવા લાયક છે. તેમ જાણીને તેઓ એ રત્નકંબલ લઈને શ્રેણિક મહારાજા પાસે ગયાં, તેમને નમસ્કાર કરીને તેઓએ તે કંબળે તેને દેખાદી અને વિજ્ઞપ્તિ કરી કે-“સ્વામિન ! આ રન કંબલે ત્રણે ઋતુનાં ઉપગમાં વપરાશમાં આવી શકે છે. વર્ષાઋતુમાં આ કંબળના તાંતણાઓ પરસ્પર મળી જાય છે. તેથી વરસાદનું પાણી તેની ઉપર પડીને તરત જ ભૂમિ ઉપર પડી જાય છે, તેનાથી શરીરને એકવાળ પણ ભી' જાતે નથી. વળી આ રત્ન કંબળ કમળપત્રની માફક પાણીથી ભીંજાયેલી પણ રહેતી નથી. નિર્લેપ રહે છે, વળી શીયાળામાં તથા હેમંતઋતુમાં આ કંબળો ગરમી ધારણ કરે છે, એક જ વખત પહેરવાથી ક્ષણ માત્રમા શરીર ઉપર પરસેવો થાય છે. વળી ઉન્ડાળાની ઋતુમાં તે શીતળ પણાને પામે છે. જ્યારે શરીરે પરસેવો થાય છે ત્યારે ચંદનના વિલેપનની જેમ શરીરમાં શિતળતા ઉત્પન કરે છે. જ્યારે આ કબળે મેલી થઈ જાય છે. ત્યારે સેનાની જેમ અગ્નિમાં નાખવાથી ચેખી અને નિર્મળ થાય છે. તેથી જ વસ્ત્રોમાં આ રત્ન સમાન છે તેવી તેની ખ્યાતિ થયેલી છે.” રાજાએ રત્ન કંબળની આ પ્રમાણેની હકીકત સાંભળી ને પૂછયું કે તેનું મૂલ્ય શું છે.?': તેઓએ કહ્યું કે-“એકેકની કિંમત સવાલાખ સેનામહોરો છે. ” આ પ્રમાણેના તે વ્યાપારીઓના મુખેથી તેની કિંમત સાંભળીને રાજાના મનમાં આશ્ચર્ય થયું. તેથી તે બોલ્યા કે “અરે પરદેશી વ્યાપારીઓ ! બહુ મૂલ્યવાળી આ કબળે અમે ખરીદશું નહિ કારણકે જયારે 8888888888888888888999 MISS ક ૧૫૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy