SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨. દેખાય છે.” શ્રીદેવે પૂછયું કે-“ભગવતિ ! તમે મારે ત્યાંથી કયાં કયાં જશે ? ” લહમીએ કહ્યું કેઆજ નગરમાં પૂર્વ જન્મમાં મુનિમહારાજને જેણે દાન દીધું છે, પણ પૂર્વે કરેલ કર્મને ઉદયકાળ નહિ આવવાથી ઉત્તમ એવા ભેગાદિકથી જે રહિત છે તે ભગદેવ નામે એક સાર્થવાહ રહે છે. તેને કરેલા પુણ્યને સમય હવે પ્રાપ્ત થયો છે, તેથી ભગદેવ’ એવું તેનું નામ સાવથ કરવા માટે હું તેને ઘેર જઈશ.” એમ કહીને તે દેવી અદ્રશ્ય થઈ અને તેને ઘેરથી ચાલતી થઈ. પલવ આઠમ EXCEL SSSSSSSB3%82×2JSGSSSSSSS ભગદેવ સાર્થવાહને ઘેર તેનું આગમન થવાથી થોડા દિવસની અંદર ધન, ધાન્ય, સુવર્ણ, રત્ન, મણિ, માણેક વિગેરે સમૃદ્ધિ તેને ઘેર વધવા માંડી. જે જે સ્થળે તે વ્યાપાર કરતે, તે તે સ્થળેથી ધાર્યા કરતાં અધિક લાભ તેને મળવા લાગે. ચારે તરફથી સમૃદ્ધિથી તેનું ઘર ભરાઈ ગયું. નગરમાં મેટા માણસમાં તેની મહત્ત્વતા-ગણત્રી થવા લાગી. રાજ્યારે રાજાએ પણ સન્માન કર્યું. તેનું ગૃડાંગણ, અશ્વ, પાલખી, દાસદાસી, નેકરે અને મુનીમેથી વ્યાપ્ત થવાને લીધે તેમાં પ્રવેશ કરે પણ મુશ્કેલ થાય તેવું સંકીર્ણ થઈ ગયું, અને આખા નગરમાં તેને યશ અને પ્રતિષ્ઠા ઘણી વધી ગઈ લક્ષ્મી મળવાથી ભગદેવ તે યાચનારાઓને તેની ઈચ્છા કરતાં વધારે આપવા લાગ્યું અને અનેક મનુષ્ય પર ઉપકાર કરવા લાગે, તેથી જગમાં તેની પ્રખ્યાતિ ઘણી વધી. પિતે પણ દેવની માફક બહુ ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરીને અશ્વ અગર સુખાસનાદિ વાહનમાં બેસીને અનેક સુભટથી પરવારેલે ચતુથમાં જવા લાગે. તે બજારમાં આવતું કે તરત જ તે વ્યાપારીએ ઊભા થઈ નીચા નમીને તેને પ્રણામ કરવા ક ૧૦૦ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy