SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ મા અહી થી મારું ગાન કરે છે. હું જે કે અતિ નિકટ આવેલ છે, તેથી હવે તા અઠામો ૫૯તવ હમણાં જે પુત્ર જન્મે છે, તે કુલક્ષણો છે, પુણ્યરહિત છે પાપ કરીને આવેલો છે, તેથી હું હવે તારું ઘર છેડીને ચાલી જવાની ઈચ્છાવાળી થઈ છું. હું જે કે અતિ ભક્તિવંત એવા તારી ઉપર અનુરક્ત છું, પણ હમણા અહીંથી મારું ગમન તે જરૂર થશે જ, તેથી તારા વિયોગ દુઃખને લીધે હું વિવર્ણવદનવાળી થઈ છું, તું જાણે છે કે પુણ્ય વિના મારું સ્થિરત્વ થઈ શકતું નથી, વળી શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે “જે કોઈ સારા લક્ષણવાળે પુત્ર, દાસ, પશુ કે પુત્રવધુ ઘરમાં આવે તે તેના આગમન માત્રથી જ ચારે તરફથી વગર બેલાવેલી લમી સંકેતિત મનુષ્યની જેમ સ્વતઃ આવે છે, થોડા જ કાળમાં ઘર સમૃદ્ધિથી ભરાઈ જાય છે, અને જે કઈ હલકા લક્ષણવાળે પૂર્વે કરેલા પાપના સમૂહવાળે પુત્ર, પુત્રી, સેવક કે પશુ આવે છે, તે તેના આવવાથી જ, યત્ન વડે સાચવી રાખેલી લમીને પણ નાશ થઈ જાય છે. પુણ્ય અને પાપના ઉદયથી અણચિંતવી લમી આવે છે, અને અણચિંતવી ચાલી જાય છે. કહ્યું છે કે 98829232438888888888888888883 पुण्योदयाद भवेलक्ष्मीः नालिकेरफलम्बुम्बत् । अज्ञाता हि पुनर्याति, गजमुक्तकपित्थवत् ॥ (१) . પુણ્યના ઉદયથી નાળિયેરમાં પાણીની જેમ લમી આવે છે, અને હાથીએ ખાધેલ કપિત્થ ફળની જેમ તે ન જાણીએ તેમ ચાલી જાય છે.” તેથી મારી ઈચ્છા નથી તે પણ મારે અહીંથી ચાલ્યું જવું પડશે, તેથી મારું મુખ શ્યામ ક ૧૦૮ Jain Education For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy