SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ 30 શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ આમા પલ્લવ Jain Education Internat વર્ણવે છે, તેવા ખુશામતખારાને જ તેઓ પાસે રાખે છે, તેનું જ કહેવું સાંભળે છે, તે જ પાસે ઊભા રહીને રાજાએ પાસે ખેલવા સમર્થ થાય છે નવા નવા પ્રકારની ખાન, પાન, વસ્ર, દ્રબ્યાદિક વસ્તુ તેને જ આપવામાં આવે છે. તેને જ પ્રિયમિત્રપણે, સજ્જનપૂણે, શુભ ચિંતકપણે ગણવામાં આવે છે, તેનુ જ બહુમાન કરવામાં આવે છે, તેવા ને જ આપત્તિમાં સહાય કરવામાં આવે છે, તેની જ સાથે વાતચિત કરવામાં આવે છે, હૃદયમાં રહેલી હકીકત તેનેજ કહેવામાં આવે છે વળી આવાં વન વડે જ રાજાઓને વહાલા થઈ શકાય છે, બાકી સત્યવાદીએ અગર વચને વચને શિખામણ આપનાર તથા પરિણામે હિત કરનારા માણુસા વલ્લભપ્રિય-વહાલા થઈ શકતા નથી, તેથી હું કુમાર ! આવી રાજ્યલક્ષ્મી કે જે મહુ વિકાર કરવાના સ્વભાવવાળી છે. તે તે અજ્ઞાની માણસોનેજ પ્રતિબંધ કરનાર થાય છે, પણ ડાયા તત્ત્વજ્ઞાની અને પૂર્વી પર લાભાલાભ જોનારને પ્રતિબ ંધ કરનાર થતી નથી. તેની ઉપર એક કથાનક કહુ છું તે સાવધાન થઈ ને સાંભળે, સુચવાદ અને શ્રીદેવ નામના બે મિત્રો વ્યવહારી હતા, તેને લક્ષ્મીએ મેટા બનાવીને ઉચ્ચ પદું સ્થાપિત કર્યો, પછીથી તે બન્નેએ લક્ષ્મીને સ્થિર કરવા માટે શૌચ, પૂજા, બહુમાન વગેરે કર્યું, પણ લક્ષ્મીએ તૃણુની જેમ તેને નિધન બનાવી દીધા તેની કથા આ પ્રમાણે છે:-- સુચિવાદ અને શ્રીદેવની કથા ભાગપુર નામના નગરમાં સુચિવાદ અને શ્રીદેવ નામના બે વાણીયા જુદી જુદી પાળમાં રહેતા હતા તેઓ બન્ને પરંપરાથી વારસામાં આવેલી મહાલક્ષ્મીને સુખેથી ભાગવતા ગૃહવાસ ચલાવતા હતા. For Personal & Private Use Only 防防烧 ક ૯ www.airnellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy