SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પલવ આઠમો ગંગા પિતાની મેળે ઉતર્યા. આજે આ૫ અત્રે પધારવાથી મારા ઘરનું આંગણું પવિત્ર થયું, આજે મારે ધન્ય દિવસ છે, સફળદિવસ છે કે આપ જેવાનાં મને દર્શન થયાં. પણ આપે આ શ્રમ શા માટે ઉઠાવે ? હું તે આપનો સેવક છું, હકમ ઉઠાવનાર છું, તમે માત્ર હુકમ જ કર્યો હોત તે હું આપને હકમ માથે ચઢાવીને આપના ચરણ સમીપે તરત જ આવત” આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરીને ધન્યકુમાર બોલતા બંધ થયા એટલે અભયકુમાર ધન્યકુમારને હાથખેંચીને તેને પોતાની સાથે જ આસન ઉપર બેસાડવા લાગ્યા અને બેલ્યા કે “ અરે ઉત્તમ શ્રેઠિન ! આ પ્રમાણે બેલે નહિ ! તમે તે અમારે લૌકિક અને લોકોત્તર અને રીતે પૂજનક છે. લૌકિક સંબંધમાં તે તમે અમારી સાથે સગપણથી જોડાએલા છે અને લોકેત્તર સંબંધમાં જિનેશ્વર ભગવંતની આજ્ઞાને ધારણ કરી તેથી અલંકૃત થયેલા છે. વળી જગતના લેકેને અને અમને પણ ઉપકાર કરનારા છે, તેથી તે પૂજ્ય બનેવી! તમારા દર્શન કરીને આજે હું કૃતકૃત્ય થયો છું. જે જિનેશ્વરની આજ્ઞા પાળવામાં તત્પર છે અને દ્રઢ ભક્તિવંત છે તે શિવાથી તે પૂજ્ય જ ગણાય છે. લૌકિક સંબંધને જે સ્નેહ તે તે સંસારની વૃદ્ધિના હેતભૂત છે, અને કેત્તર સંબંધ વડે થયેલે સ્નેહ મિક્ષના હેતુભૂત અને સમ્યકત્વ પવિત્ર થવાના કારણભૂત છે, તેથી તમે અમારે બન્ને રીતે પૂજનક છે. વળી ગઈ કાલે જ મારા પિતાશ્રી મહારાજાએ તમારા અત્રેન આગમન પછી શુષ્ક વનનું પલવિત થવું, ધૂર્તને દમ, ગજને વશ કરે, રાજ્યસ્થિતિ સ્થિર કરવી વિગેરે હકીકત કહી છે, તથા કૃતજ્ઞ અને નિર્ભાગી એવા તમારા બંધુઓને વારંવાર ન માપી શકાય તેટલી સમૃદ્ધિ આપીને તે તે સ્થળેથી નીકળી ગયા છે, આ હકીક્ત મને હર્ષપૂર્વક નિવેદન કરી છે. તે સર્વ SMS88888888888888888888888888888888 Jain Education Intematic For Personal & Private Use Only P a inelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy