SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમારી ચાર ભાગ ૧ સાતમો પલવ 现欧风现奶役础网网网&&例假网邱昭总 ધારણ કરનાર એક નગ્ન તપવી હાથમાં ભસ્મને ગળે (ઘડે) રાખીને તે માર્ગે નીકળે. તેણે પણ સૂર્યના તેજથી ઉત્તેજીત રોવા તે શિલાના પ્રદેશને જોઈને મનમાં વિચાર્યું કે “ આ મહા અરણ્યમાં સૂર્યના કિરણના જેવું તેજસ્વી શું દેખાય છે ? હું જોઉં તે ખરે. કાંઈક આશ્ચર્યકારક જણાય છે.” એ પ્રમાણે કૌતુકની બુદ્ધિથી તે શિલાની સન્મુખ ચાલે. અનુક્રમે તે શિલાની પાસે આવે, તે તેણે તે શિલાનો એક ખુણો છે. હાથવડે ધૂળને દૂર કરવા લાગ્યા, ત્યારે ઘણી મટી તે શિલા જણાઈ. તેથી તે તપસ્વીનું ચિત્ત લેભરૂપી પંક (કાદવ) થી મલીન થયું. તે મનમાં વિચાર કરવા લાગે કે-“અહો ! આટલું બધું ધન અહીં છે, આને લાભ થવાથી તે રાજરાજેશ્વરનું સુખ અનુભવાય તેમ છે. જેને માટે આટલું બધું તપસ્યાનું કણ કરૂં છું, તે તો અહીં જ પ્રાપ્ત થયું માટે હવે અહીં જ રહેવું.” એ પ્રમાણે વિચારીને તે આમતેમ જોવા લાગે, તો તે બનને રાજસેવકને મરેલા પડેલા જોયા. તેમને જોઈને તેણે વિચાર્યું કે-“ખરેખર આ બન્ને જણ આ ધનને માટે જ પરસ્પર શસ્ત્રના ઘાતથી મરણ પામ્યા જણાય છે. માગની સમીપે રહેલું આ ધન અહીં ગુપ્ત રહી શકે તેમ નથી; તેથી અહીં રાખવા યોગ્ય પણ નથી. તેમજ આ બધું કેઈથી ઉપાડી શકાય તેમ પણ નથી, તેથી તે આના કકડા કરીને કોઈ ગુપ્ત સ્થાને પૃથ્વીમાં નાંખી તેના પર મઠ કરીને તેમાં નિવાસ કરું, તો ચિંતિત અર્થની સિદ્ધિ થાય. પરંતુ છીણી, હાડી, ઘણુ લેઢાના હથિયાર વિના આના કકડા શી રીતે થાય ? તેથી કોઈની પાસેથી તે માંગી લાવીને પછી ઈચ્છિત કાર્ય કરૂં; પરંતુ હવે તે રાત્રિને સમય થઈ ગયો છે, શું કરું? કયાં જાઉં? જે કદાચ આને છોડીને ગામમાં હથિયાર લેવા જાઉં'. તે કઈ બળવાન માણસ આવીને આને માલીક થઈ જાય, તે ચિંતવેલું સર્વ કાર્ય નિષ્ફળ ૩૦૬ Jain Education Intemat For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy