SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર/8/ ચારેત્ર ભાગ ૧ સાતમો પલવ એમ વિચારીને વૃદ્ધાએ શેઠને કહ્યું કે-“આ ઝેળીને સાચવીને સારે ઠેકાણે મૂકે, હું હમણાં બહિભૂમિ (કળશી) જાઉં છું.” શેઠ બેલ્યા કે-“હું જળનું (લેટે) પાત્ર લઈને તમારી સાથે જ આવું છું.” ત્યારે તે બોલી કે નહીં, એમ કરવાથી લકે બ્રમથી ચર્ચા કરે, તમારે નગરશેઠને એમ કરવું ઉચિત નથી, માટે હું એકલી જ જઈશ. બહિર્ભુમિ (જાજરૂ) વખતે મને મનુષ્યની સેબત પસંદ પણ નથી. વળી મારી તે આજ્ઞાજ પ્રમાણ છે, તેમાં કાંઈ યુક્તિ કરવાની નથી.” એમ કહીને તે જળપાત્ર (લેટે) લઈને ઘરમાંથી નીકળી જ્યાં સરસ્વતી બેઠી હતી ત્યાં ગઈલમીએ સરસ્વતીને પૂછયું કે-“હે સરસ્વતી ! શુ સમાચાર છે? આ જગમાં કણ માટ? રે બહેન! લેકમાં તેં એવી રૂઢી પ્રવર્તાવી છે લદ્દમીના મસ્તક પર મારૂં સ્થાન છે, તે વાત ખરી; પરંતુ એ તે રાજાએ પિતાની આજ્ઞા પ્રવર્તાવવા માટે એવી રીતે કરી છે. જે કદાચ સુવર્ણ છે રૂડું અક્ષરની મુદ્રા વિનાનું વેચાતું જ ન હોય, તે તો તારૂં મહત્વ ખરૂં, બાકી તે સિવાય તે તે માત્ર ડંફાસ (બડાઈ) મારવા જેવું જ છે.” તે સાંભળીને સરસ્વતી બેલી કે- “ અજ્ઞાનવડે થયેલા આ જગતમાં તું જ મુખ્ય છે, કેમકે માત્ર મુનિજને વિના બીજા સર્વે સંસારી જી ઇદ્રિયસુખમાં આસક્ત છે, તેથી તે સર્વે તારીજ અભિલાષા કરે છે અને જે કઈ જિનેશ્વરના વચનનું રહસ્ય જાણનારા છે, તેઓ જ માત્ર મારી ઈચ્છા કરે છે.” લક્ષમી બેલી-“હે સરસ્વતી ! જે કઈ તારી ઈચ્છા કરનારા છે, તેઓને તે તુ પણ પાયે અનુકુળ થાય છે, તેની સાથે તું વિચારે છે તેને શેડો કે ઘણે પ્રયાસ તું સફળ કરે છે, તેમનું સાનિધ્ય તું મૂકતી નથી, અને તેમને તુ સર્વથા નિરાશ પણ કરતી નથી, પરંતુ જેકેઈ શાસ્ત્રના અભ્યાસ કરતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy