SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર) ચરિત્ર ભાગ ૧ સાતમો ૫લવ नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभं ॥ (બાંધેલા) કર્મને ભગવ્યા વિના સેંકડો અને કરડે અને યુગવડે (વર્ષો) પણ ક્ષય થતો નથી; શુભ કે અશુભ જે કર્મ કર્યા હોય, તે અવશ્ય ભેગવવાં જ પડે છે.” માટે હે ભાઈ! કર્મના દોષે કરીને હું આવી વૃદ્ધાવસ્થાદિક દશાને પામી શું શું કરવું ભાઈ?” તે સાંભળીને શેઠે કહ્યું-“હે માતા ! આજથી તમારે કાંઈ પણ અધીરા ન થવું કે ખેદ ન કરે. આ સર્વેને તમારે તમારી સંતતિ પ્રમાણે જ જાણવા. હું પણ તમારી આજ્ઞા પ્રમાણેજ વર્તનાર છું એમ સમજવું. તેમાં તમારે કાંઈ પણ સંદેહ રાખ નહી. આ ઘરને પિતાના ઘરની જેવું જ ગણવું, તેમાં કાંઈ પણ ભેદ માનવો નહીં, તમારી આજ્ઞાજ મારે પ્રમાણ છે. હું મન, વચન અને કાયાએ કરીને સત્યજ કહું છું કે માતાની જેમ હું તમારી ભક્તિ કરીશ, વધારે કહેવાથી કૃત્રિમ વિવેક કર્યા કહેવાય તેથી કહેતે નથી, અવસર આવ્યું બધું જણાશે.” એમ કહીને વળી તે કહેવા લાગ્યો-“ હે માતા ! અહીં બારણું આગળકેમ બેઠા છો ? ઘરમાં આવે અને પલંગને અલંકત (ભા) કરે.” આ પ્રમાણે શેઠ બોલ્યા કે તરતજ શેઠાણી અને વહુ તે વૃદ્ધાના હાથ અને ખભા પકડીને ખમા, ખમા” બેલતી ઘરમાં તેને પલંગ પર લઈ ગયા. આ અવસરે દેવી માયાથી એવું થયું કે જ્યાં સરસ્વતી દેવી બ્રાદાણુના રૂપે વ્યાખ્યાન કરે છે અને પૂર્વે કહેલા સર્વ લેકે શ્રવણ કરે છે, તે જ રસ્તે થઈને કેટલાક રાજસેવકો અને બીજા કેટલાક નગર વાસીઓ 828888888888888888888888888888888888 ૨૯૩ Jain Education Intema For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy