SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ સાતમે પલવ vies4288888888888888888888888888 કરીને મને બોલાવ્યો છે.” શેઠાણી બેલી... હે સ્વામી ! આકળા કેમ થઈ જાઓ છે? ધીરજ રાખે. તમારું ભાગ્ય ઉઘડયું છે. એક વૃદ્ધ માતા આવી છે.” શેઠે કહ્યું-કણ ! તારી મા આવી છે ?’ એમ બેલતાં શેઠ ઘરમાં ગયા. એટલે શેઠાણીએ પેલું પાત્ર દેખાડયું. તે જોતાં જ ચકમક (લેહચુંબકના) પાષાણુપર લેઢાનું આકર્ષણ થાય તેમ આકર્ષણ થવાથી પૂર્વનું સર્વ અધ્યવસિત (વિચારેલું) શેઠ ભૂલી ગયા, અને બોલ્યા કે-કઈ પણ વખત નહીં જોયેલું આ પાત્ર કયાંથી ?” તે બેલી-“હે સ્વામી ! હમણુ આપણે વ્યાખ્યાન સાંભળતા હતાં ત્યારે એક કે પરદેશી ડોશી આવી, તેણે આપણુ આંગણામાં ઉભા રહીને પાણી માગ્યું, ત્યારે મેં મેટી વહુને આજ્ઞા કરી કે–જા, જે, કેણ આવું કટુ વચન બેલીને ધર્મશ્રવણમાં અંતરાય કરે છે? તેને જે જોઈએ તે આપીને તેને રજા દઈ આવ” ઈત્યાદિ સર્વ વૃત્તાંત સ્વામીને નિવેદન કરીને તેણીએ કહ્યું કે “હે સ્વામી ! તમારા ભાગ્યના વશથી આ વૃદ્ધા જંગમ (હાલતી ચાલતી) નિધાનની જેમ આવેલી છે. કઈ પણ તેને ઓળખતું નથી. કેઈ તેને જાણતું નથી, પ્રથમજ તમારે ઘેર આવી છે. તેણીની પાસે આવાં પાત્ર, વસ્ત્રો અને આભૂષણે ઘણાં છે, માટે તેણીને વશ કરીને આપણે ત્યાં રાખે.” તે વાત સાંભળીને લેભથી ગ્રસ્ત થયેલે શેઠ શેઠાણી સહિત તે વૃદ્ધા પાસે ગયો. તેણીને પ્રણામ કરી કહેવા લાગે કે-“હે માતા! તમે કયા દેશથી પધારે છે? તમે કુશળ છે? શું તમારે કોઈ પરિચારક (સેવક) નથી ?” ત્યારે તે વૃદ્ધા બોલી કે-“હે ભાઈ ! પહેલાં તો મારે આવું જ ઘર, ધન અને સ્વજન વિગેરે એટલું બધું હતું કે તેટલું રાજાને પણ ન હોય, પરંતુ હમણું તે કેવળ એકલીજ છું. સર્વે સંસારી જીના કમની ગતિ વિચિત્ર છે. For Personal & Private Use Only Jain Education Intema ww.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy