SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચારત્ર. ભાગ ૧ સાતમો પલ્લવ 88888888888888888888888888888888 અને ભેંયમાં નાખી હોય તે યક્ષે હઠથી હરણ કરી જાય છે, જે છોકરાઓ નઠારા-ઉન્માર્ગગામી થયા હોય તો તેને સર્વથા નાશ કરે છે. અહો ! આવી રીતે ઘણાને આધીન રહેનારી લમીને ધિકાર છે.” ભવાભિનંદી પ્રાણીઓને તે અલકમાં પણ આ લક્ષ્મી કલેશનું જ કારણ થાય છે. લક્ષમી હજારોની, લાખની કે કરડની સંખ્યામાં કે તેથી પણ અધિક પ્રમાણમાં મેળવી હોય અને પછી તે મૂકીને મૃત્યુ થાય તે તે પાપનાજ હેતુભૂત-પાપનેજ બંધ કરાવનાર પાછળથી પણ થાય છે. કારણ કે પૂર્વ ઉપાર્જેલી અને મૂકી દીધેલી લક્ષમી પછીથી પોતાના પુત્ર અગર બીજા કોઈના હાથમાં આવે છે, તે પુરૂષ તેના વડે જે જે પાપકર્મો કરે છે તે તે પાપને ભાગીદાર લમીને સંચય કરી જનાર પુરૂષ જે ભવમાં તે વતંતે હોય તે ભવમાં ઈચ્છા ન હોવા છતાં પણ પોપને બંધ તેને થાય છે. “આ મારૂં' તેમ કરીને પરવશપણાથી જે મૂકી દેવાય છે તેનો પા૫વિભાગ અવશ્ય પછવાડે આવે છે અને અનુમતિ નહિ હોવાથી પુણ્યવિભાગ પછવાડે આવતું નથી. પાપ તે પૂર્વે લખાયેલા દેવા-કરજના કાગળની જેવું છે. સહી કરી આપીને જે કરજ કરેલું હોય તે દેવું આપી દીધા વગર તેનું વ્યાજ ઉતરતું નથી, વ્યાજ વધ્યાજ કરે છે; પુણ્ય તો નવીન વ્યાપારને અંગે વસ્તુ ગ્રહણમાં હસ્તાપણુ–સત્યકાર તુલ્ય છે. નવીન વ્યાપારમાં જે બેલે (સદે કરે) તેજ લાભ પામે છે, તેવી જ રીતે પુણ્યમાં પણ અનુમતિ વિના લાભ મળતું નથી. આ પ્રમાણે લક્ષમી આભવ અને પરભવ બનેમાં દુઃખ દેનારી છે. જેઓ શાસ્ત્રનું રહસ્ય ભણેલાં હોય, જેમને ધર્મની સામગ્રી મળી હોય તે પુરુષને તે કાશયષ્ટિ જેવી લક્ષ્મી પણ મુક્તિનું સુખ આપનારી થાય છે, તે કેવી રીતે ? ડાહ્યો બુદ્ધિમાન પુરૂષ કાશયષ્ટિના વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખીને તેને પરિકમિત કરીને જુદા જુદા ક્ષેત્રોમાં ફરીને વાવે છે, પછી Jan Education Interation For Personal & Private Use Only www.Binelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy