SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર રિત્ર ભાગ ૧ છઠ્ઠો પલ્લવ Jain Education International છતાં તમને તેવું શું માટુ' દુઃખ આવી પડયુ' છે, કે જેથી તમારે અત્રે આવવુ. પડયું ? તમારૂં જે કાંઇ દુઃખ હાય તે વિસ્તારથી અમને જણાવેા, તમારાં દુઃખની હકીકત સાંભળીને અમે તે વાત રાજાજીને સંભળાવશું અને તેઓ તમારા દુ:ખનું સ્ફોટન (નાશ) કરશે. અમારા સ્વામી પરદુઃખભ'જન છે અને તેવા કાર્ય'માં રસિક છે, તેની આગળ તમારાં દુઃખ કહેવાશે એટલે તરતજ તે તમારા દુઃખનો નાશ કરાવશે.' સભાજનોનાં આવાં શબ્દો સાંભળીને તેઓ ખેલી કે“ અરે સ્વામિન્! અમે પરદેશી છીએ. પહેલાં અમારા ઘરમાં અતુલ-અખંડ હતું, પણ દૈવે અમારી આવી માઢી સ્થિતિ કરી નાખી, અમે દુઃખમાં આવી પડ્યા, કારણ કે કની ગતિ અકથ્ય છે. ક્યુ' છે કે— સુખ अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति ॥ "6 · અઘટિત ઘટનાઓને વિધિ ઘટાવે છે અને સુટિત ઘટનાઓનો નાશ કરે છે. વળી જે ઘટનાનો માણસ વિચાર પણ કરી શકતા નથી તેવી ઘટનાઓ વિધિ બનાવી કાઢે છે, '' “ અમારા સસરા અમારે ઘેરથી આઠ માણસા સહિત નીકળ્યા હતા. ગામે ગામે ભટકતાં તમારા નગરની ખ્યાતિ સાંભળી કે—વસ્રદેશના રાજા પ્રજાને પુત્રની જેમ પાળે છે. વળી જે નિધન હાય તેને આજીવિકાનાં ઘણાં સાધનો ત્યાં મળે છે. દૂર દેશથી આવેલા માણસે પણ ત્યાં સુખેથી આજીવિકા ચલાવી શકે છે. વળી તે દેશમાં અતિશય સુકાળ સદા હાય છે.” આ પ્રમાણે લેાકેાના મુખથી વાતો સાંભળીને અમારા સસરા આખા For Personal & Private Use Only 勝來路路公路快啟恩思思忠國際國國際 ૨૩૯ www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy