SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ પલ્લવ 欧欧欧欧欧医欧欧欧欧欧欧欧欧欧※※※ રાજ્યદ્વારની બહાર રહીને આમતેમ ભટકવા લાગી. આ પ્રમાણે તેઓ આખે દિવસ ભટક્યા કરી, પણ રાજ્ય દ્વારામાં તેઓનાથી પ્રવેશ થઈ શકે નહિ. ધન્યકુમાર પણ દૂરથી જ તેમને જોતાં દરવાજો સંભાળનારા સિપાઈઓને તેને નહિ પ્રવેશ કરવા દેવાની સંજ્ઞા કરીને આવાસની અંદરના ભાગમાં ગયા. સાંજ થઈ ત્યારે નિરાશ થઈને દુઃખી થયેલી તેઓ શાકાત થઈ વિષાદ પામીને પિતાની ઝુંપડીએ જઈ વિલાપ કરવા લાગી કે-“હે પૃથ્વીમાતા ! અમારે નાશ થાય તે માટે તું અમને જગ્યા આપ. આ જગ્યામાં દુઃખદાવાનળથી વિવશ થયેલી અમે તે ખાડામાં પડીને મરણ પામીએ, હવે અમારે અબળાને કઈ પણ આધાર નથી કે જેના આશ્રયે રહીને અમે જીવીએ,” આ પ્રમાણે વિલાપ કરતી આમ તેમ પડતી આખડતી અનેક માઠા વિકલ્પથી પિતાના અંતઃકરણને કલુષિત કરતી અતિ દુઃખીની એવી તેણીઓએ તે રાત્રી રોકડ રાત્રીની જેમ કટથી પસાર કરી. કઈ રીતે સવાર થતાં તે પરસ્પર વિચાર કરવા લાગી કે “હવે આપણે કુળની લાજ છોડીને કૌશાંબીન રાજા પાસે તેની સભામાં જઈને પિકાર કરીએ, કારણ કે દુર્બળ અને અનાથ સર્વેનું આશ્રયસ્થાન રાજા છે.” આ પ્રમાણે વિચાર કરી લજજાને છોડી દઈને શતાનિક રાજાની સભામાં તે ત્રણે ગઈ, કારણ કે મોટી આપત્તિમાં ધીરજ કેવી રીતે રહે? કેઈને પણ રહેજ નહિ, આ પ્રમાણે સભામાં આવેલી અને પોકાર કરતી સ્ત્રીઓને રાજાએ દીઠી. તેથી ભ્રકુટીની સંજ્ઞાવડે તેણે સભાજનને પૂછ્યું કે આ સ્ત્રીઓ શા દુઃખથી પિકાર કરે છે? તેમનું દુઃખ તેને પૂછીને તેનું રહસ્ય નિવેદન કરો.” રાજાની આજ્ઞા થવાથી સભાજને તેની પાસે જઈને તેમને પૂછવા લાગ્યા કે-“તમારે શું દુઃખ છે? તમારે કોઈ મોટું દુઃખ હેવું જોઈએ, નહિ તે પતિવાળી (સધવા સ્ત્રીએ રાજકારે કઈ દિવસ આવતી નથી. તમારા પતિ તે જીવતા છે, 网孤孤孤网孤网热双网双熙熙熙熙熙熙熙熙因就说现强 Jain Education Internativa For Personal & Private Use Only wainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy