SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર રિવ ભાગ ૧ પાંચમે પલવ 942933: Jain Education Intemational માણુ, મેતી વગેરે ઘણી અમૂલ્ય વસ્તુએ હસ્તમેળાપક વખતે આપીને શ્રેણિક રાજાએ પોતાના વચનને સંપૂર્ણ રીતે પાળ્યુ.. જેવી રીતે નવા વરસાદના વરસવાથી પતમાંથી ઉત્પન્ન થતી નઢી વૃદ્ધિ પામે છે, પાણીથી ભરાય છે અને સપૂણૅ થઇ છતી બે કાંઠામાં ઉભરાઇ જાય છે તેવી જ રીતે શુષ્ક પલ્લવિત થવાથી ઉક્તિ થયેલી ધન્યકુમારની કીર્તિરૂપી વેલડી હસ્તીને ભય નિવારવાથી આખા રાજગૃહી નગરીરૂપી મંડપમાં વિસ્તારને પામી ગઈ. વન શુભ ભાવયુક્ત દાનના માહાત્મ્યને દર્શાવનાર શાલિભદ્રના જન્મ મગધ દેશમાં ધન, ધાન્યની સમૃદ્ધિથી ભરપૂર અને ઇંદ્રયાના સમૂહને સુખ આપે તેવી રચનાવાળુ શાલિગ્રામ નામે એક ગામ હતું. તે ગામમાં કપિલમુનિએ પ્રરૂપેલ 'પ્રકૃતિની જેવી સરલ પ્રકૃતિવાળી ધન્યા નામની એક ડોશી રહેતી હતી. તે ડેશીને તીવ્ર દારિદ્રના સંગમ જેવા સગમ નામના એક બહુ નમ્ર પ્રકૃતિવાળો પુત્ર હતા. તે વૃદ્ધ ડેશી ગામના લેાકેાના ખાંડવું, દળવુ, વિગેરે ગૃહકાર્યાં કરતી હતી અને સંગમ ગાયેાને ચારવાનુ કાર્ય કરતા હતા. આ પ્રમાણે કરતાં તેઓ મહા મુશ્કેલીથી પોતાના નિર્ઘાડું ચલાવતા હતા. એકદા કાઈ મેટા પત્રને દિવસે ગાયના વાછરડાએને સંગમ વનમાં લઈ ગયા. તે વખતે ત્યાં ચારવા આવેલા બીજા બાળકો અન્યાઅન્ય વાત કરતા હતા તે તેણે સાંભળી. એક ૧. કપિલમુનિ છે સાંખ્ય મત ચલાવનારા હતા. સૃષ્ટિમાં પુરૂષ અને પ્રકૃતિ એજ છે તેવા તેને મત છે. તેમાં પ્રકૃતિ તે સરલ હદયી સ્ત્રી છે. તે પ્રકૃતિ જેવી સરલ પ્રકૃતિવાળી ધન્યા હતી તેવું કહેવાને અત્રે આશય છે. For Personal & Private Use Only 發燒 822 8224 225 226 2 ૧૯૭૭ www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy