SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ પ્રથમ પલ્લવ Jain Education Internationa કીર્તિને માટે દાન-પુણ્ય કરીને પોતાનુ સ ધન વાપરી નાખ્યું છે. ઘરના નિર્વાહની ચિંતા બિલકુલ કરી જ નથી, હવે પેાતાની પાસે કાંઈ ન રહેતાં આપણી પાછળ લાગ્યા છે શુ અહિં તે કુબેર ભડારીના ભંડાર ભર્યા છે ? કે શું તે આપણને આપી રાખેલ ધન ભૂલી ગયા છે કે આપણને સમજાવવા અહીં આવ્યા છે ? આપણે જો કાંઇપણ અત્યારે આપીશુ તે ખાવા-પીવામાં વાપરી નાંખી વળી પાછા આવશે. જમાઇ તથા જમનું પેટ કાઇથી પૂરાયું જ નથી. બધું આપી દ્યો તે પણ તેને તૃપ્ત થવાની નહિ. માટે એમને મેતું જ ન દેખાડવુ' તેથી જેવા આવ્યા છે તેવા પાછા ચાલ્યા જશે,’ આ પ્રમાણે અરસપરસ નિર્ણય કરી અવળુ મેઢુ કરી તેઓ ઊભા રહ્યા. ગુણસાર પણ ચતુર હોવાથી બધુ સમજી ગયા. તેણે મનમાં વિચાયું કે ‘સ્ત્રીના વચનને અનુસારે હું અહિં આવ્યો તે મેં ઠીક ન કર્યું, નિનમાં અને મડદામા કાંઈ પણ તફાવત નથી એવું નીતિવાકય જાણવા છતાં મેં અડુિં આવવાનુ સાહસ કર્યું. મેં મારી મૂર્ખતા જ બતાવી છે, સસરાને ઘેર માનભ્રષ્ટ થવું તે મનુષ્યને સથી વધારે દુઃખકર્તા છે, પરંતુ હવે શું કરવું? ભાવી બનવાનું હતુ તે બન્યું. પૂર્ણાંકના ઉદય આવે જ હશે. ’આમ વિચારીને નીચુ' મેઢું રાખી તે સસરાને ઘેર ગયેા. હવે સાસુએ પણ જમાઈને એવી અવસ્થામાં જોઇને બહુ આદર-સત્કાર કર્યાં નહિ, સામાન્ય વહેવાર રીતે ફક્ત પૂછ્યું કે આવેા અમારી પુત્રી તે કુશળ છે ? શેઠ દ્વારમ`ડપ (એસરી)માં ઉભા ઉભા વિચાર કરવા લાગ્યા કે ‘અગાઉ પૈસાદાર સ્થિતિમાં હું અહીં આવતા હતા ત્યારે અમારા સગા-સંબંધીઓ ભેગા થઇને એક બે ગાઉ સામે આવી ભેટીને મેટા ડાડમાર્ડ સાથે મને ઘેર લઈ જતા હતા અને મારી સેવા કરવા હરપળે તૈયાર રહેતા હતા, આજ પણ હું તે તેને તે જ છું', પર`તુ મારા આવ્યાના સમાચાર પણ કોઈ પૂછતુ નથી. જિનેશ્વરે સાચુ જ કહ્યુ For Personal & Private Use Only OTEZONET 888888 ? Kainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy