SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ પાંચમા પહેલવ Jain Education International કરવા લાયક નથી. કારણ કે દ્રવ્ય આપવાથી સ્વામી સેવક ભાવ પ્રગટ થાય છે. વળી લેકમાં પણ આ રાજાએ દંડ આપ્યા ' તેમ ખેલાય, તેથી આપણા માનની હાનિ થાય; તેથી ત્રીજો ઉપાય ભેદ તેજ સાધ્ય કરવા લાયક છે. હે સ્વામિનૂ ! જેવી રીતે વેદ ઉત્તમ રસાયણના પ્રયોગ કરે ત્યારે સવ રાગેા ક્ષણવારમાં નાશ પામી જાય છે, તેવીજ રીતે જ્યારે હું ઈચ્છિત કાર્ય સાધનાર ભેદ ઉપાયરૂપી રસાયણના પ્રયાગ કરીશ, ત્યારે વૈરીરૂપી વ્યાધિઓના ક્ષણમાં નાશ થઈ જશે. માટે આપ આ સેવકનુ બુદ્ધિકૌશલ્ય જુએ આપ પુજ્યે તે। સુખે સુઈ રહેવુ, આ બાબતની જરા પણ ઉપાધિ કરી મનને આ ધ્યાનમાં ઢારવાની આપ પૂજ્ય પિતાશ્રીને જરા પણ જરૂર નથી.” હવે અભયકુમારે સુમ દૃષ્ટીથી અવલેાકન કરીને શત્રુ સૈન્યના હવે પછી જ્યાં પડાવ થવાના હતા અને મુખ્ય રાજા તથા સાળ તેની સાથે આવનારા બીજા રાજાઓના જ્યાં જ્યાં તબુએ નાખવાના હતા ત્યાં ત્યાં ખાદાવીને ભૂ મની અંદર ગુપ્તપણે પુષ્કળ ધન દ્રવ્ય સ્થાપન કર્યું”; તેજ પ્રમાણે સેનાપતિ, મંત્રી, મેોટા સુભટો વિગેરેનાં નિવાસસ્થાનાની નીચે પણ તેમને લાયક ધન લાંચમાં દાટ્યું અને તે ધનની ઉપર ધૂળ વિગેરે સારી રીતે પૂરીને તે દ્રવ્ય ધન ન દેખી શકાય તેવી રીતે રક્ષિત કર્યું. હવે અનુક્રમે ચંડપ્રદ્યોત રાજાના સૈનિકોએ વાવડીના પાણી ફરતા જેમ માછલીએ ઘેરા ઘાલે તેમ રાજગૃહી નગરીની ફરતા ઘેરા ઘાલ્યો. નગરીની ફરતા સૈન્યને ઘેરો નાખેલ દેખીને પૌરવાહીજને જેવી રીતે મીનર।શમાં શિન આવે ત્યારે ભયનુ કારણ ઉત્પન્ન થાય તેમ તે નગરના પ્રલયની શ’કા કરતા છતા દૈન્ય ભાવને પામી ગયા અને આ નગરીના હવે જરૂર પ્રલય થશે તેવી સવે` આશકા કરવા લાગ્યા અહીં ભંભાસાર (શ્રેણિક) મહારાજાના સ ઉપાય કરવામાં પ્રવીણ બુદ્ધિવાળા અભયકુમારે ભપૂર્વક ચંડપ્રદ્યોત રાજાને એક ગુપ્ત For Personal & Private Use Only 烧肉防腐防限防限限 ૧૬૩ www.jainellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy