SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ચાથી પલવ વાતે વળી પ્રસંગ મળતાં કરીશું, કદાચ જે તે સખીઓ પાછી આવી પહોંચશે તે તેમને અંતરાય થશે.” આમ વિચારી તે કાંઈ બોલી નહિ. તે મજબુત કાયાવાળો ધુતારો ઇચ્છાનુસાર સુરતસુખ ભેગવી નિવૃત થયે. તે અરસામાં સખીઓને સમાચાર પૂછવાને દૂરથી પાછા ફરતા જોઈને સખી દેડતી અંદર આવી કહેવા લાગી કે-‘તમે તમારા વલ્લભને હમણાં તે જવા દે.” તેણીએ પેલા ધૂને કહ્યું કે “શું કરવું? આપણા કર્મને જ દેષ, આટલા દિવસે ઇચ્છિત સમાગમ થયા છતાં એક વાત પણ છુટથી થઈ શકી નહિ, હાલ તે આપ એકદમ ચાલ્યા જાઓ. ફરી ભાગ્યને યોગ થતાં જ્યારે મળીશું ત્યારે મનમાં રહેલી વાત કરીશું.” “તે વિચાર્યું કે હવે રહેવાથી લાભ પણ શું છે ? ન ઓળખાવું એજ ઠીક છે.” એમ વિચારી સુરતક્રીડા કરતાં પડી ગયેલા હાર વિગેરે ઘરેણાં લઈને તેજ માર્ગે તે ઉતરી ગયે. મનમાં ખુશી થતો તે વિચારવા લાગે કે –“આજ સારા શુકન સાથે હું નીકળે હઇશ, કારણ કે રાજકુમારી સાથે સુરસુખ પ્રાપ્ત થયું અને વળી ધન પણ મળ્યું.” આમ વિચારતો ને રાજી થતો તે પોતાને સ્થાને ગયે. સુનન્દાની પ્રિયસખી નિસરણી વિગેરે સંતાડી દઈ સુનન્દાના પગ દાબવા લાગી. એટલામાં દીવા સાથે સખીએનું ટોળું આવી પહોંચ્યું અને સુનન્દાને રાણીએ પૂછવેલ સુખ સમાચાર પૂછ્યા. સુનના પિતાના અંગો સંકેચતી ધીમેથી બેલી કે–“સખીઓ ! પહેલાં તે મને બહુ વેદના થતી હતી, પણ છેલ્લી બે ત્રણ ઘડીમાં તે શાંત થઈ ગઈ છે. હવે ચેતના (શક્તિ) આવે એટલે થયું. તમે માતાજી પાસે જઈ મારા પ્રણામ સાથે જે જોયું છે તે કહેજો. પહેલાંની વેદનાથી થાકી ગયેલી હોવાથી બહુ બોલી શકું તેમ નથી. પરંતુ 8] હવે તે એમ તે લાગે છે કે માતાજીના આશીર્વાદથી દુઃખ તે ચાલ્યું ગયું છે. માતાજીને કહે કે મારી 1ts Jairo Intematic For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy