SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ચાથે પલવ વિચારી તેણીએ સખીઓ પાસે દીવો ઓલવાવી નાંખ્યો. દાસીઓ તે ધુતારાને હાથથી અંધારીમાં દેરી, સુનન્દાના પલંગમાંજ તેની સાથે સુવાડી દઈ, કાંઈ બેલશે નહિ” એમ કહી તે સખીઓના ટોળાંની સામે ગઈ. આવેલી દાસીઓએ પૂછયું કે—સુનન્દા કયાં છે? તેણીની તબિયત કેવી છે? તે અમને જણાવે. તેમજ સુનન્દા કયાં સુતી છે તે અમને દેખાડો. આજે રાજમંદિરમાં અંધકાર કેમ જણાય છે ?” આ પ્રમાણે સાંભળી સખીએ કહ્યું કે–“સુનન્દાનું માથું બહુ ચડી આવવાથી એવી પીડા થાય છે કે એવી શત્રુને પણ ન થાઓ. તેણીને જે પીડા થાય છે તે જોઈ પણ શકાય તેવી નથી. પલંગમાં તાપથી પીડાતાં તેણે કહ્યું છે કેહુ આ દીવાને તાપ સહુન કરી શકતી નથી, માટે તેને ઓલવી નાખે.” તેથી દી ઓલવી નાંખે છે. આ વાતને ઘડી અધઘડી થઈ અને હમણાં તેની આંખે જરા મળી છે. તેથી હાલ તેને તબિયતના સમાચાર પૂછાય તેમ નથી; હાલ તો તમે ઉંચે સ્વરે બોલશો પણ નહિ; વળી તેણી સુખેથી નિદ્રા લે છે તેથી હાલ તે તેનાં ખંડમાં પણ આવશે નહિ. પિતાની મેળે તે જાગે ત્યારે સુખસમાચાર પૂછજો.” આ પ્રમાણે સાંભળીને એક દાસી બેલી કે-“ચાલે આપણે રાણીના આવાસમાં જઈ આવીએ. તેણી નિરાંતે સુતી છે તે દરમિયાનમાં આપણે રાણીજીએ બતાવેલું કામ કરી આવી પાછા વળતા સુનન્દાના સમાચાર પૂછતાં જશું.’ આમ કહી તે સખીઓનું ટોળું રાણીના આવાસ તરફ વળ્યું. આ તરફ પેલો ધુતારે સુનન્દાની પથારીમાં પડવો પડ હસ્તાદિકના સ્પર્શથી કામાતુર થઈ પહેલ વહેલાંજ સંભોગ કરવા લાગ્યા. સુનદાએ વિચાર્યું કે–“ઘણા દિવસથી આતુર થઈ રહેલ આ મારા પ્રિયતમને અટકાવવા પણ કઈ રીતે ? ભલે તે પિતાની ઈચ્છા પૂર્ણ કરે મારે વિરહાગ્નિ પણ શાંત થશે. 989888888888888888888888888883 For Personal & Private Use Only Jain Education Interational www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy