SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમારે ચરિત્ર ભાગ ૧ ચોથ પલવ કરે.' આ કથનથી બહુજ આશ્ચર્ય પામી, ભક્તિથી ભરપૂર હૃદયે તે ખેડુતે ધન્યકુમારને કહ્યું કે–બહે ભાગ્યશાળી ! અનર્ગળ ધન આપીને આજે તમે મારી ગરીબાઈને નાશ કર્યો છે. હવે ભજન તે સ્વીકારો. પછી તેના ઘણા આગ્રહથી ધન્યકુમારે ભજન કરી તેની રજા લીધી. અને આગળ ચાલી નીકળ્યો. દુનિયાનું ભલું કરનાર સજજન પુરુષે સૂર્યની માફક કદિ પણ એક સ્થળે રહેતાં નથી.” ધન્યકુમારના ગયા પછી ખેડુત વિચારવા લાગ્યો કે–ધન્યકુમાર જેવા સારા માણસ પાસેથી મેળવેલું ધન જે હું નિઃશંકપણે ભગવશ તે ઈર્ષાળુ તથા પારકાનું ઘર ભાંગવામાં રાજી રહેનારા માણસો જાતજાતની વાતે કરશે. અરસપરસ વાત કરતા તે લોકેની વાત વાયુવેગે રાજા સુધી પણ પહેંચ્યા વગર રહેશે નહિ, વળી રાજા પણ કાચા કાનના હોવાથી તે લોકેની વાત સાચી માની મને કેદમાં નાંખી આ સર્વ ધન કદાચ લઈ પણ લેશે, અને હું નકામે દુઃખી થઈ જઈશ. માટે પહેલાથી જ બનેલ વાત રાજાને જણાવું અને પછી જ તેના હુકમ પ્રમાણે કરું કે જેથી ભવિષ્યમાં આરામ રહે.” આ પ્રમાણે વિચાર કરી ખેડૂતે રાજા પાસે જઈને બનેલ સવ બીના કહી બતાવી, ખેડુતની વાત સાંભળીને રાજા આશ્ચર્ય ચકિત થઈ તેને કહેવા લાગ્યો કે ભાઈ! ખેતરમાંથી પ્રજાને નીકળ્યો તેમાં કાંઈ નવાઈ જેવું નથી, કારણ કે પૃથ્વીમાં પગલે પગલે ચરૂઓ દાટેલા હોય છે. પરંતુ આવડે ખજાને મેળવી તે આવી રીતે છોડી દે તે ભારે આશ્ચર્યની વાત છે, પૃથ્વીને રત્નગર્ભા કહેવામાં આવે છે તે આવા પુરૂષથી સત્ય માની શકાય છે, ખરેખર તારા સદભાગ્ય કે આવા માણસના તને દર્શન થયાં, તેમજ તેમની મેમાનગતિ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયે તેણે આપેલ પ્રસાદ તને મળ્યો, તેથી પણ તને ધન્ય છે. જે તેની જેવા શ્રેષ્ઠ માણસે આ ખજાને તને અર્પણ કર્યો તે પછી હું પણ તે તને જ આપું છું, એવા મોટા માણસેને હુકમ કઈ પાછે ફેરવે ખરા કે JESSESSESSSSSSSSSSSSSSSSSSSSSSSBE Jain Education internet 60 www.ainelibrary.org For Personal & Private Use Only
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy