SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ z = Jain Educ પછી બંને સખીએ હસી પડી અને વિનાદપૂર્વક કહેવા લાગી કે:—“હે રાજીમતી ! પ્રથમ તા વર રૂપવાન—ગૈારવર્ણવાળા હોવા જોઇએ, બીજા ગુણા તા પરિચય થયા પછી જણાય, આ વરરાજાના વર્ણ તા કાજલના રંગ જેવા કાળા છે. આ સાંભળીને રાજીમતીની આંખમાં ઈર્ષા તરી આવી. તેણી સખીઓને કહેવા લાગી કે: “હે સખીઓ! તમે મહા ચતુર અને ડાહી છે. એવા મને જે આજસુધી ભ્રમ હતા તે હવે ભાંગી ગયા. જે શ્યામપણું અનેક ગુણેાના કારણરૂપ અને ભૂષણરૂપ છે, તેને જ તમે દૂષણરૂપ ગણાવા છે તે જે મને નવાઇ લાગે છે. તમે સાવધાન થઇને સાંભળે કે શ્યામપણામાં અને શ્યામ વસ્તુના આશ્રય કરવામાં કેટલા ગુણા રહેલા છે તથા કેવલ ગારપણામાં કેટલા દાષા રહેલા છે: ૧ જમીન, ૨ ચિત્રાવેલિ, ૩ અગર, ૪ કસ્તુરી, ૫ મેધ, ૬ આંખની કીકી, ૭ કેશ, ૮ સેાટી, ૯ મેશ અને ૧૦ રાત્રિ એ સર્વ શ્યામ છે, પરંતુ તેનાં અમૂલ્ય ફળથી આ જગતમાં કાણુ અજાણ્યું છે? નેત્રમાં કીકી, કપૂરમાં અંગારો, ચંદ્રમામાં ચિન્હ, ભોજનમાં મરી, ચિત્રમાં રેખા, આ સર્વે શ્યામ પદાર્થો મૂળ વસ્તુને કેટલી મહત્ત્વની બનાવે છે. શ્યામ વસ્તુને આશ્રય કરવામાં આ ગુણા જાણવા. પાતે ધાળું હોવા છતાં મીઠું ખારૂ છે, હિમ પાકને બાળી નાંખે છે અતિ ગૌરવર્ણવાળા રોગી ગણાય છે અને ચુના તા પરવશ ગુણવાળા છે, ગૌરપણામાં તા કેવળ અવગુણા જ ભરેલા છે.’’ સખીઓ આ પ્રમાણે પરસ્પર વર્તાલાપ કરતી હતી તેટલામાં કેાણ જાણે કયાંથી, અચાનક tional For Private & Personal Use Only ૪૦ brary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy