SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ "अहङ्कारोपि वोधाय, रागोऽपि गुरुभक्तये । विषादः केवलायाभूत्, चित्रं श्रीगौतमप्रभोः ॥१॥ પ્રચંડ ગર્વ તેઓને બોધને માટે થયે, તેઓને રાગ ગુરુભક્તિમાં પરિણમ્યો; પ્રભુના વિરહથી ઉદભવેલો ખેદ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાયભૂત થયો, આ એક આશ્ચર્યની વાત છે. ગૌતમસ્વામી બાર વર્ષ સુધી કેવલિપર્યાય પાળી, લાંબા આયુષ્યવાળા સુધર્માસ્વામીને ગણનો ભાર સેંપી મોક્ષે ગયા. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતુ તેમનાં તમામ દુઃખ તદ્દન છેદાઈ ગયાં તે રાતે કાશી દેશના મલકી વંશના નવ ગણરાજાઓ અને કેશલ દેશને લિચ્છવી વંશના બીજા નવ ગણરાજાઓ, જેઓ ભગવંતના મામા ચેટક–ચેડા–રાજાના સામંત હતા અને કારણવશાતું પાવાપુરીમાં એકઠા થએલા હતા, તે અઢારે ગણરાજાઓ અમાવાસ્યાને દિવસે આઠ પહોરનો સંસાર સાગરથી પાર પહોંચાડનાર પૌષધોપવાસ કરીને ત્યાં રહ્યા હતા. અહીં પિષધોપવાસનો અર્થ આહારત્યાગરૂપ પૌષધ કરવાનું છે, કારણું કે તે સિવાય તેઓને દીવા પ્રગટાવવા સંભવે નહીં. તે અઢારે ગણરાજાઓએ વિચાર્યું કે શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણુ પામ્યા તેથી ભાવ ઉદ્યોત તો ગયો, પણ હવે આપણે દ્રવ્ય ઉદ્યોત કરવો જોઈએ. તેથી તેમણે દીવા પNNNN N, Jain Educ nal For Private & Personal Use Only l'ary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy