SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુઓની સાથે વિહાર કરતો હતો, અને પહેલાંની માફક માણસને પ્રતિબંધ આપી, સાધુઓ પાસે શિષ્ય કરવા મોકલતા. એક વખતે તે માંદો પડ્યો, પરંતુ તે અવિરતિ હોવાથી કોઈપણ સાધુએ તેની ચાકરી કરી નહિ. આથી તે વિચારવા લાગ્યો કે : “મારા ઘણા વખતના પરિચયવાળા સાધુઓ પણ પારકા જેવા જ રહ્યા, પણ હવે જે સાજો થાઉં તો મારી વૈયાવચ્ચ કરે એવો એક શિષ્ય હું કરીશ.’ મરીચિ અનુક્રમે સાજે . એક વખત કપિલ નામને રાજપુત્ર તેની દેશના સાંભળી પ્રતિબંધ પામ્યો, એટલે મરીચિએ પહેલાંની માફક સાધુ પાસે જઈ ચારિત્ર લેવાની ભલામણ કરી. પછી કપિલે કહ્યું કે : “રવામિન! હું તો તમારા દર્શનની જ દીક્ષા લઈશ.” મરીચિએ કહ્યું કે: “હે કપિલ ! શ્રમણો ત્રણ દંડથી વિરક્ત છે અને હું કાંઈ તેવો નથી. વગેરે સર્વ વરૂપ કહ્યું.” તો પણ તે ભારે કર્મી હોવાથી ચારિત્ર લેવાની ઇચ્છોવાળો ન થયા, અને સામે પ્રશ્ન કર્યો કે: “શું તમારા દર્શનમાં ધર્મ જેવું કાંઈ જ નથી ? મરીચિએ વિચાર્યું કે આ મારો શિષ્ય થવા લાયક છે, તેથી તેણે કહ્યું કે: “હે કપિલ ! જેમ જિનેશ્વરે પ્રરૂપેલા માર્ગમાં ધર્મ છે, તેમ મારા આ માર્ગમાં પણ છે. આ સાંભળીને કપિલે મરીચિ પાસે દીક્ષા લીધી. મરીચિને છેલ્લો જવાબ સૂત્ર વિરૂદ્ધ હતા. તેથી તેણે કડાકોડી સાગરોપમ જેટલો 家樂家、家、家樂 Jan Education International For Private & Personal Use Only sine brary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy