SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ હતું. તથાપિ તેમના ભકતે, રાત્રિદિવસ ગાઢ પરિચયમાં આવનાર શિષ્ય સુદ્ધાં પણ નથી જાણી શકયા કે તેઓશ્રીએ કઈ ભૂમિ, કઈ જાતિ, કયા કુલ તથા કયા માતાપિતાને ત્યાં જન્મ લીધું હતું ? તેઓનું પિતાનું ગૃહસ્થાવસ્થામાં શું નામ હતું તે પણ જાણી શકયા નથી, કેટલી હદ સુધીની કીર્તિલાલસાને અભાવ અને નિરભિમાનિતા ! ચરિત્રપ્રારંભે એ વસ્તુને નિર્દેશ જોઈએ. પરંતુ ઉપરોક્ત પરિસ્થિતિમાં આપણે કયા સાધનથી તે દર્શાવી શકીએ. આ મહાપુરૂષે સ્વમુખે કદાપિ પિતાના જન્મ સ્થાનાદિને પરિચય આપે નથી. એમ છતાં તેઓની પૂર્વાવસ્થાના પરિચિત મનુષ્ય ક્યારે કયારેક વંદનાદિ પ્રસંગે આવ્યા હોય તે તે સમયે તેવા જાણકારોથી જે કાંઈ માહિતી ઉપલબ્ધ છે તે અત્ર નેંધીએ છીએ. આ મહાપુરૂષને જન્મ વિકમ સંવત ૧૮૯૬માં મેવાડ દેશમાં (અજમેર મેરવાડા પ્રાન્તમાં) આવેલ પ્રસિદ્ધ શહેર કીશનગઢમાં કે જે સ્થાન જગશેઠની જન્મભૂમિ કહેવાય છે ત્યાં જૈનધર્મારાધક પિરવાડ વણિક કુળમાં થયેલ હતો. સ્વનામ ધન્ય માતા પિતા સ્વજનાદિનાં નામ વગેરે મલ્યાં નથી, સિદ્ધાન્તમાં અનેક ઠેકાણે ઉલ્લેખ છે કે જિન ધર્મવાસિત કુળમાં જન્મ થ તે અનહદ પુણ્યરાશિ વિના ન હોય. પંડિત પુરૂષો યાવત્ ઈદ્રાદિ દેવે પણ એવા જિનધર્મવાસિત કુળમાં જન્મ લેવાની વાંછના આ રીતે કરે છે. जिनधर्मविनिर्मुक्तो मा भूवन चक्रवर्त्यपि । स्यां चेटो दरिद्रोपि जिनधर्माधिवासितः ॥१॥ વૈરાગ્ય પ્રાણીમાત્રને પ્રાયઃ ભરયુવાની જ્યાં આવી કે તેની સાથે જ સાંસારિક વાસનાઓ ચારે બાજુથી ઘેરાઈ વળે છે–જેમ સ્વેચ્છાએ મહાલતા વૃષભ (ગેધલા) ને નાથી પલટી તેની ખાંધ ઉપર ધસર નાખી પરાધીન બનાવી દે છે તેમ યુવાનીને પણ તેવી લાચાર સ્થિતિમાં કઈ મહાપુણ્યવંત સાત્વિક મહાપુરૂષે જકડી દે છે અને ભોગની અવસ્થામાં પણ ભેગેને ઠોકરે મારી ગની ભૂમિકામાં સ્વતપણે આત્મકલ્યાણ સાધવા તત્પર થઈ જાય છે. Jain Education International For Private & Personel Use Only www.jainelibrary.org
SR No.600153
Book TitleDharmratna Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherSarabhai Manilal Nawab Ahmedabad
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy