________________
१५८. पासे णं अरहा पुरिसादाणीए तेसीइं राइंदियाइं निचं वोसट्टकाए चियत्तदेहे जे केई उवसग्गा उप्पनंति, तं जहा-दिव्वा वा माणुस्सा वा तिरिक्खजोणिया वा अणुलोमा वा पडिलोमा वा, ते उप्पन्ने सम्मं सहइ खमइ तितिक्खइ अहियासेइ ॥१५८॥ १५९. तए णं से पासे भगवं अणगारे जाए इरियासमिए जाव अप्पाणं भावमाणस्स तेसीइं राइंदियाई विइक्कंताई, चउरासीइमस्स राइंदियस्स अंतरा वट्टमाणस्स जे से गिम्हाणं पढमे मासे, पढमे पक्खे, चित्तबहुले, तस्स णं चित्तबहुलस्स चउत्थीपक्खे णं पुव्वण्हकालसमयंसि धायइपायवस्स अहे छटेणं भत्तेणं अपाणएणं विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरिआए वट्टमाणस्स अणंते अणुत्तरे जाव केवलवरनाणदंसणे समुप्पण्णे जाव जाणमाणे पासमाणे विहरइ ॥१५९॥
‘આશ્રમપદ' નામના ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે અલંકારાદિનો ત્યાગ કરી પંચમુખી લોચ કરી પ્રવ્રજ્યા અંગીકાર કરી. તે વખતે ભગવાનને ચોવિહાર અઠ્ઠમનો તપ હતો. ભગવાનની સાથે ત્રણસો પુરુષોએ દીક્ષા લીધી. દીક્ષા વખતે વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. ઇંદ્ર ભગવાનના ડાબા ખભે દેવદુષ્ય મુકયું. ભગવાનને ચોથુ મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું.
સૂત્ર ૧૫૮) ભગવાને ત્યાસી દિવસ શરીરની મમતાનો ત્યાગ કરી ઉગ્ર સાધના કરી અને ઉપસર્ગ સહન કર્યા. ભગવાનને એકમાત્ર મેઘમાળી દેવનો ઉપસર્ગ થયો. તે આ પ્રમાણે છે- એકવાર ભગવાન વિહાર કરતાં કરતાં તાપસના આશ્રમમાં કૂવા પાસે વડવૃક્ષની નીચે રાત્રે કાઉસગ્ગ પ્રતિમામાં રહ્યા હતા. આ બાજુ મેઘમાળી દેવ પોતાના પૂર્વભવનું અપમાન યાદ કરી ક્રોધાંધ બનીને ભગવાનપર ઉપસર્ગ કરવા આવ્યો. વાઘ-વીંછી વગેરેના ઉપદ્રવોથી પરેશાન કરવા છતાં ભગવાનને નિર્ભય જોઈ કાળા-ડિબાંગ વાદળા વિકુવ્ય. કલ્પાંતકાળ જેવો વરસાદ વરસાવ્યો. વીજળીઓના ભયંકર કડાકા ને ભડાકા થવા માંડ્યા. વરસાદના પાણીનું પૂર ક્ષણવારમાં ભગવાનના નાક સુધી પહોંચી ગયું. તે જ વખતે આસન કંપવાથી ભગવાનપર ઉપસર્ગ જાણી ધરણેન્દ્ર પોતાની પટ્ટરાણીઓ સાથે ત્યાં | ૨૩૮
dan Education Intematonal
www.ebary D