________________
પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયભુવનસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયસુદર્શનસૂરીશ્વરજી મ. સા. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયમહદયસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરવિચન્દ્રસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. પ. શ્રી ભદ્રાનંતવિજયજી ગણિ., પૃ. ૫. શ્રી વિચક્ષણવિજયજી ગણિ. આદિ લગભગ ૮૦ મુનિ ભગવંતના વિશાળ પરિવાર સાથે અને બીરાજમાન છે. વળી ભિન્ન ભિન્ન સમુદાયના બસ ઉપરાંત પૂજ્ય સાવ સમુદાય પણ આ પ્રસંગે અને સમુપસ્થિત થયો છે. - શ્રી તીર્થ કર પરમાત્માના નૂતન શ્રી જિનબિ બની પ્રાણપ્રતિષ્ઠા વિધિ એટલે શું? શ્રી તીર્થંકર પરમાત્માઓના પાંચ કલ્યાણ કે એ શું છે અને એની ઉજવણી કેવી રીત થાય છે એનું જ્ઞાન ભાવિકોને આ મંગલ અવસરે પ્રાપ્ત થાય તથા એ પરમતારક કલ્યાણકની ઉજવણી પ્રસંગે પ્રસંગાનુરૂપ જે જે ગીત ગવાય તેની સામગ્રી પણ ભાવિકેને પ્રાપ્ત થાય એ શુભ હેતુથી અમે આ ગીત જન પુસ્તિકા પ્રકાશિત કરીએ છીએ. આશા રાખીએ છીએ કેઆ પુસ્તિકા પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માના પાંચ કલ્યાણકોની સમજ આપવા દ્વારા અને તે તે પ્રસંગેના ગીતો દ્વારા પ્રભુભક્તિના રસમાં તરબોળ કરવા દ્વારા અપૂર્વ કર્મ નિર્જરામાં સહાયક બનશે. આરાધના ભવન, વિઠ્ઠલ પ્રેસ રોડ, સુરેન્દ્રનગર,
લિ. ફા. શુ. ૪ શુક્રવાર
શ્રી ઝાલાવાડ જેન વે. મૂ. તપતા. ૨-૩-૭૮
સંઘ દ્રસ્ટના ટ્રસ્ટીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org