________________
स्वोपक्ष
કૃત્તિविभूषितं પાણTIgE
અનેકવાર જોવા મળતું હતું. તેમની આ ઉત્કટ સાધનાનું ફળ તેમના પિતાના લખેલાં ચિંતનાત્મક પ્રથામાં તથા તેમણે તૈયાર કરાવેલા ગ્રંથમાં અમુક અંશે જોવા મળે છે. યોગ તથા મંત્ર આદિ વિષેનું તેમનું ચિંતન, મનન અને સંશોધનકાર્ય એ ઐતિહાસિક વસ્તુ છે.
એક ઉદ્યોગપતિના જીવનમાં આવી જ્ઞાનઝંખના અને સાધના જોવા મળે એ બહુ વિરલ ઘટના છે. છેલી અવસ્થામાં, શ્વાસ લેવામાં પણ જ્યારે તેમને ઘણી મુશ્કેલી પડતી હતી ત્યારે પણ આ વિષયમાં તેમની કેટલી રૂચિ અને તન્મયતા હતી તે તેમના પિતાના હાથે વિસ્તારથી લખેલા તા. રર-૧૨-૭૬ ને મારા ઉપરના પત્રમાંના નીચેના લખાણથી પણ સમજી શકાય છે.
“ોગશાસ્ત્ર, દ્વાદશાર નયચક્ર, સૂરિમંત્રક૯૫ સમુરચય, શ્રાદ્ધપ્રતિક્રમણ-પ્રબોધટીકા આ સધળા પતે નહિ ત્યાં સુધી મારે ઇવ આ ળિયું છોડશે નહિ, એ પતી ગયા પછી એક સમય વધારે થશે નહિ. આપની જેમ મને પુષ્કળ ચિંતા છે.”
આ પત્ર લખ્યા પછી સોળમા દિવસે જ તેમને સ્વર્ગવાસ થયો હતો. જીવનભર શ્રુતજ્ઞાનની જે ઉપાસના કરી હતી તેનું મધુર ફળ તેમના સમાધિમય મરણમાં જોઈ શકાય છે.
શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા જે વિશિષ્ટ રીતે શ્રુતજ્ઞાનની ગંગા વહાવવી તેમણે શરૂ કરી છે તે શ્રુતજ્ઞાનની ગંગાને પ્રવાહ દેવ-ગુરુકૃપાએ સતત વહેતો રહે તથા ઉત્તરોત્તર વિશાળ થતો રહે એ જ પ્રભુના ચરણમાં પ્રાર્થના. વિક્રમ સંવત ૨૦૩૩
પૂજ્યપાદ ગુરુ દેવ મુનિરાજ શ્રી ફાગણ સુદ ૧૦
ભુવનવિજયાન્તવાસી માડકા (જલ્લા-બનાસકાંઠા)
મુનિ જંબૂવિજય.
દિવા: રાણા;
Jain Education Intem
For Private & Personal Use Only
w
ww.jainelibrary.org