________________
सवृत्तिके धर्मबिन्दौ
१
Jain Education International
श्री सिद्धाचलमण्डन ऋषभदेवस्वामिने नमः ॥ श्री शङ्खेश्वरपार्श्वनाथाय नमः ॥ श्री महावीरस्वामिने नमः ॥ श्री गौतमस्वामिने नमः ॥
पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादाचार्य महाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्मेभ्यो नमः । पूज्यपाद - सद्गुरुदेव - मुनिराजश्री भुवनविजयजीपादपद्मेभ्यो नमः ।
પ્રસ્તાવના
અનંતઉપકારી પરમકૃપાળુ શ્રી અરિહંત પરમાત્મા તથા પરમ ઉપકારી પ્રાત:સ્મરણીય પૂજ્યપાદ સદ્ગુરુદેવ અને પિતાશ્રી મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની અસીમ કૃપાથી, યાકિનીમહત્તરાધર્મસૂનુ પૂજ્યપાદ આચાર્યભગવાનશ્રી હરિભદ્રસૂરિમહારાજ વિરચિત ધર્મબિંદુપ્રકરણને પૂજ્યપાદ આચાર્યભગવાન શ્રીમુનિચંદ્રસૂરિમહારાજવિરચિત વૃત્તિ સાથે પ્રાચીનતમ હસ્તલિખિત આદર્શ આદિ સામગ્રીને આધારે સંશોધિત-સંપાદિત કરીને ધર્મપ્રેમી જગત સમક્ષ રજુ કરતાં આજે અમને અત્યંત આનંદનો અનુભવ થાય છે.
આ.ભ.શ્રી હરિભદ્રસૂરિમહારાજના સર્વે ગ્રંથો વર્તમાનમાં ઉપલબ્ધ પ્રાચીન હસ્તલિખિત આદર્શો આદિ સામગ્રીને આધારે નૂતન પદ્ધતિથી સંશોધિત-સંપાદિત થઇને પ્રકાશિત થાય તો ઘણું સારૂં એવી મારી ઘણા સમયથી ભાવના હતી, એ દષ્ટિએ ઇસવીય સન ૧૯૮૬માં વૃત્તિસહિત પંચસૂત્રક ભોગીલાલ લહેરચંદ સંસ્કૃતિ સંસ્થાન (B.L.Institute of Indology) તરફથી પ્રકાશિત થયું છે. હવે વૃત્તિસહિત આ ધર્મબિંદુપ્રકરણ શ્રી જિનશાસનઆરાધના ટ્રસ્ટ (મુંબઇ) દ્વારા પ્રકાશિત થાય છે એ મારા માટે ઘણો આનંદનો વિષય છે.
રચિયતા
સંસ્કૃત ભાષામાં રચેલા આ ધર્મબિન્દુ પ્રકરણના રચયિતા યાકિનીમહત્તરાધર્મસૂનુ આચાર્યભગવાન શ્રીહરિભદ્રસૂરિ મહારાજ છે.
For Private & Personal Use Only
પ્રસ્તાવના
१
www.jainlibrary.g