SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત કહેવું હોય તે કહી શકે, તેટલા માટે અહિં વેગ વિનાને પ્રવાહ જેમાં હેય તેવા નદીના આવત તળાવ વિગેરે જળાશયે ગ્રહણ કર્યા છે. મત્સ્ય વિગેરેનું પણ તેવા ઉંડાણવાળા જળાશયમાં વિશેષ રહેવાનું થાય છે. પોતાને જ જવાની ઈચ્છા થયેલ હોય તેવા મસ્યને ગતિમાં જેમ જળ ઉપગ્રાહક-મદદગાર છે, અથવા ઘડાપણે પરિણમતી માટીને જેમ દંડ ઉપકારક છે, અથવા અપેક્ષા કારણરૂપે આકાશ જેમ ઉપકારક છે, તે પ્રમાણે ધમ-ધર્મ ગતિ-સ્થિત પરિણત કબે જીવ-પુદ્ગલેને ગતિ-સ્થિતમાં ઉપકારક છે. અપેક્ષાકારણ હેતુ એ સામાન્ય કારણ જણાવનારા એકાઈક શબ્દો છે. જે માટે કહ્યું છે – निवर्तको निमित्त परिणामी च विधेष्यते हेतुः । कुम्भस्य कुम्भकारो कर्ता (दंडो)मृच्चेति समसङख्यम् ॥१॥ નિર્વક કારણ–નિમિત્ત કારણ અને પરિણામી કારણ એમ ત્રણ પ્રકારના કારણે કહેલા છે. ઘટની ઉત્પત્તિમાં કુંભાર નિર્વતંક કારણ છે. દંડ વિગેરે નિમિત્ત કારણ છે અને માટી અનુક્રમે પરિણામી કારણ છે. ગતિમાં કારણપણને ધારણ કરનાર પાણી નહિ ચાલનાર માછલાને પરાણે ચલાવતું નથી, એ પ્રમાણે પૃથ્વી પણ પિતાની મેળે સ્થિર રહેનાર દ્રવ્યને સ્થિતિમાં ઉપકારક છે, પરંતુ અસ્થિત દ્રવ્યને બળાત્કારે પૃથ્વી સ્થિર રાખતી નથી. પિતાની મેળે જ અવગાહ પામતા દ્રવ્યને અવગાહ આપવામાં આકાશ કારણભૂત થાય છે, પરંતુ અવગાહને નહિ પામતાં દ્રવ્યને બળાત્કારે અવગાહ આપતું નથી. ( પિતાની મેળે જ ખેતીના કરનારા ખેડૂતને વરસાદ અપેક્ષાકારણ થાય છે, પરંતુ જે ખેતી કરનારા જ નથી, તેમને વરસાદ ખેતી કરવાની પ્રેરણા કરતું નથી. અથવા નવીન મેઘના શબ્દને
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy