SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત સ્થિતિ સહાયક પણ થાય અને અવકાશ આપવાના પ્રસંગે અવકાશ આપવા સમ્બન્ધી ઉપકાર કરે તે શું બાધક છે? ત્રણ દ્રવ્યથી જે કાર્ય થતું હતું તે ભલે એક જ દ્રવ્યથી ભલે થાય. તેમાં શે વિરોધ છે? ઉત્તરમાં જણાવાય છે કે જેમ એક જ વીજળીના તારથી જોકે રઈ, અજવાળું અને પવન સમ્બન્ધી કાર્ય થાય છે, તે પણ જે વખતે ત્રણમાંથી જે કોઈ એક કાર્ય થતું હશે અથવા ત્રણે સાથે થતા હશે તે પણ કાર્યવિશેષ ભેદથી તારમાં પણ ભેદ પડશે તે પ્રમાણે ધર્મ-અધર્મ કે આકાશ એ ત્રણ દ્રવ્યમાંથી જે કઈ દ્રવ્ય એક બે, અથવા ત્રણે કાર્યો સાથે કરશે તે પણ કાર્યભેદથી તે દ્રવ્યમાં અવશ્ય ભેદ માનવે પડશે. એક જ દ્રવ્યમાં કાર્યભેદથી દ્રવ્યભેદ માને તે કરતાં જુદુ જુદુ દ્રવ્ય માનવું એ વિશેષ યોગ્ય છે. આ કારણથી ચાલુ સૂત્રમાં પણ એક ધર્મ દ્રવ્ય જ ગતિસ્થિતિ ઉપગ્રાહક છે એ પ્રમાણે અર્થ ન કરતાં યથાસંખ્ય ન્યાયથી ધર્માસ્તિકાય ગતિ સહાયક છે” અને “અધર્માસ્તિકાય સ્થિતિ સહાયક છે” એ પ્રમાણે અર્થ કરે એ બરાબર છે. સૂત્રવર્તી ઉપગ્રહ પદને અર્થ ધાતુનું અનેકાર્થપણું હોવાથી બીજે ન થાય તે માટે પર્યાયવાચી શબ્દોથી અર્થ ચેકકસ કરે છે કે ૩પપ્રહઃ નિમિત્ત-કક્ષાના હેતુ એ એકાWક શબ્દ છે. એ જ પ્રમાણે ૩૫ર પ્રયોગન–jળ અને અર્થ એ શબ્દો પણ સરખા અર્થવાળા છે. ટીકાથ– ગતિ શબ્દનો અર્થ જ્ઞાન અને પ્રાપ્તિસ્થતિ ત્રયો એ ન્યાયથી જ્ઞાન અથવા પ્રાપ્તિ ન થાય, તેટલા માટે સ્પષ્ટ સમજાવે છે કે એક સ્થાનમાંથી બીજા સ્થાનની પ્રાપ્તિમાં હેતુભૂત જે પરિણામ તે ગતિ કહેવાય અને તેથી વિપરીત પરિણામ તે સ્થિતિ કહેવાય. તે ગતિ અને સ્થિતિયુક્ત જ ગતિ અને સ્થિતિ
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy