SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક 8-થું અર્થાત્ જેઓ ભગવાનની ભક્તિ કરવામાં પ્રતિકૂળતા ધારણ કરનારા, વળી પરમામાએ નિરૂપણ કરેલા નવ તની ખામી કલ્પી તેને જેનારા તથા ત્યાગમાર્ગમાં પ્રવર્તતા તેને ઉપદેશકર્તા સાધુએ. ગૃહસ્થ–સમાજના કાર્યથી વિમુખ રહેનાર અને તેને નિષેધનારા હે ઈ તેવા મહાપુરુષોને વંદનીય નહિ ગણનારા ચક્રવર્તી રાજા જેવા મહાપુરુષને પણ સમ્યકત્વનું તેવું કોઈપણ પ્રકારે સંભવિત નથી. પૂર્વે જણાવેલું સમ્યકત્વ જે કે ભક્તિ, માન્યતા અને વંદનીયતાની બુદ્ધિરૂપ હોઈ દર્શનમેહનીયના પશમાદિવાળા આત્માના પરિણામરૂપ છે અને તેથી પરજીવમાં કે સ્વમાં થયેલું હોય તે પણ તે જાણવું મુશ્કેલ પડે પણ અન્ય-ગૃહમાં અપ્રત્યક્ષપણે રહેલે અગ્નિ જેમ ધૂમાડારૂપી બાહા ચિહ્નથી જણાય છે. આ તેવી રીતે અનંતાનુબંધી કષાયના ક્ષપશમે અપૂર્વ કેટિને શમ હોવાથી, મોક્ષની અદ્વિતીય અભિલાષાથી દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકરૂપી ચારે ગતિથી સર્વથા ઉદ્વેગ થાય તેનાથી સંસારભરના જીની ઉપર દ્રવ્ય ને ભાવથી અનુકંપા હેવાથી અને જીવની અસ્તિતા વિગેરે માનવા આદિ ચિહ્નોથી આ સમ્યકત્વ સ્વ કે પરમાં થયેલું જાણી શકાય છે. જે જ પિતાના આત્માને સમ્યગદર્શન છે એવું પ્રમાદિચિહથી સમજતા હોય તેઓએ જીવ માત્રને વિષે હિત બુદ્ધિ, ગુણ વાનને દેખી આનંદ અને સીદાતાઓને દેખી કરૂણું અને જેઓને સન્માર્ગે ન લાવી શકાય તેવાઓમાં જરૂર માધ્યસ્થ (ઉદાસીનભાવ) કરવું જોઈએ.
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy