SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચેત (વ્યાખ્યાન-૩) आत्माऽस्ति स परिणानी बद्धः सत्कर्मणा विचित्रेण । मुक्तश्च तदिक्योगाद हिंसा-अहिंसादि तद्धेतुः ॥१॥ શાસ્ત્રકાર મહારાજ આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મ. ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં થકા ષોડશકમાં સૂચવી ગયા છે કે – આ જગતમાં ઉદ્યો–ડેકટરે ઉપકારી છે. પરંતુ તે ઉપકારી કયારે? દદીને જાણે, તેના દદીને જાણે અને દવાને જાણે જે ડોકટર દદી, દર્દ અને દવાને ન જાણે. તે હિતકારી ન બને. બાળકને દેવાની માત્રા વૃદ્ધને દે. જુવાનને દેવાની દવા ઘોડીયામાં રહેલા બાળકને દે તે શું થાય? રેગ-ઔષધ બરાબર પારખ્યા છતાં દર્દીને ન પારખે તે શું ગુણ કરે? જેમ ઔષધ કરનારે દદીને, દઈને અને દવાને બરાબર સમજવા જોઈએ. તેમ ઉપદેશકે પણ શ્રોતા-શ્રોતાને ભવ–રોગ અને તે રોગને લાગુ થતી જ્ઞાનદવા પણ સમજવા જોઈએ. અહીં ઉપદેશક કોણ? વૈદ્ય. એટલા જ માટે શાસ્ત્રકાર કહે છે કે–ચહાય તેટલે રાજા-મહારાજા હેય પણ દર્દથી પીડાયેલ હોય તે વૈદ્યને આધીન. વૈદ્ય કહે કે–અહીં ન રહેતા ! અમુક નહિં ખાતા, તે તેનું માનવું જ રહ્યું. અહીં જેમ શરીર આપણું છતાં તેના વિકાર કે શુદ્ધ સ્થિતિ આપણે જાણ નથી શકતા અને તેથી તે શરીર આપણું છતાં આપણે જ તેને વૈદ્યના કબજામાં સેવી દઈએ છીએ. આમ કરવામાં આપણે કોઈપણ પ્રકારે વૈદ્યની કે ડોકટરની ગુલામી કે આધીનતા સ્વીકારી છે. એમ માનતા નથી.
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy