________________
આ ઉપરાંત આ સંપાદનમાં આજ્ઞા થતાંની સાથે નાની મેટી દરેક જાતની કામગીરી કરી વિનીતભાવ દર્શાવનાર ધર્મ સનેહી મુનિશ્રી નિરૂપમ સાગરજી મ. મુનિશ્રી હેમચંદ્રસાગરજી મ. મુનિશ્રી રવીંદ્રસાગરજી મ. આદિ અનેક મહાનુભાવોના સહયેગના ફળ રૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈ શકયું છે.
છેલ્લે નિવેદન એ છે કે—યથાયોગ્ય જાગૃતિ રાખી પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીના આશય વિરુદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞા કે શાસનની પરંપરા વિરુદ્ધ કંઈ થવા પામ્યું હોય તે તે બદલ ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ હાદિક મિથ્યા દુષ્કૃત્ય દેવા સાથે પુણ્યવાન તત્વરૂચિવાળા જિજ્ઞાસુ મહાનુભાવે આ પ્રકાશનને જ્ઞાની ગીતાર્થ ગુરૂભગવંતની નિશ્રાએ વાંચી-વિચારી અંતરંગ તત્વદષ્ટિની સફળ કેળવણી કરી સંપાદકના અનુભવની જેમ પોતે પણ જિનશાસનની વિશ્વાસપૂર્વક સફળ આરાધનાને લાભ મેળવવા ભાગ્યશાળી બને. એ મંગલ અભિલાષા.
વીર નિ. સં. ૨૫૦૪ વિ.સં. ૨૦૩૪ ભાદરવા વદ ૧૧ ગુરુવાર તા. ૨૮-૯-૭૮ જૈન ઉપાશ્રય, ખજુરીની પોળ, ઉંઝા
નિવેદક શ્રમણ સંઘ સેવક પૂ. સ્વ. ઉપા. ગુરુદેવશ્રી ધર્મસાગરજી મ. ચરણ સેવક
અભયસાગર