SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ આગાયત છેલ્લામાં છેલ્લે દેશ તે પ્રદેશ, એટલે તેના હવે વિભાગ થઈ શકે નહિ તે નિર્વિભાગ ખંડ કે જેને કોઈપણ વખતે નાશ થવાનું નથી અને અનાદિકાળથી તેવા પ્રકારને જ (અનપાયી) પરિણામ જેને પ્રાપ્ત થયેલ છે. એવા પ્રકારના પ્રદેશનું જે બહત્વ એટલે ધર્મા, અધમ, કાયનું અસંખ્ય પ્રદેશપણું આકાશાસ્તિકાયનું અનંતપ્રદેશીપણું તે બહત્વ કહેવાય. અર્થાત્ અસંખ્ય પ્રદેશના સમુદાયરૂપે ધર્માસ્તિકાય છે, તે જ પ્રમાણે અધર્માસ્તિકાય છે. લેક પ્રમાણુ આકાશપણ તે જ પ્રમાણે છે અને સમગ્ર આકાશ અનંત પ્રદેશના સમુદાયરૂપે છે એ પ્રમાણે બહુત્વ હોવાથી ગતિસહાયક, સ્થિતિ સહાયક વિગેરે ઉપકારથી પૂર્વોક્ત રીતિ પ્રમાણે ઉત્પાદ અને વિનાશ દ્વારા મારિ સ્પષ્ટ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યને આશ્રીને અવયવનું બહુત કહ્યું છે. હવે વ્યુત્પત્તિ દ્વારા તેમાં આવિર્ભાવ, તિભાવ સાબિત કરે છેઅવધૂચન્ત વયવ પરમાણુ- ધાતુ મિશ્રણાર્થક છે. એટલે કે જે મિશ્ર થાય, એકઠા થાય તે અવયવે પરમાણુ-યણુક વિગેરે પરમાણુઓ સમુદાય-પરિણામને અનુભવી (એટલે કંધમાં રહીને) ફેર પાછા છુટા પરમાણુ રૂપે થાય છે. અને તે છુટા થતાં થતાં છેવટ એકેક પણ (પરમાણુ રૂપે) થાય છે, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમા એ પ્રમાણે કદી પણ સંઘાત–ભેદ થતું નથી. અને તેથી જ તે અવયવ કહેવાતા નથી. એ કારણથી પ્રદેશ અને અવયવ એમ જુદા જુદા બે શબ્દો ગ્રહણ કર્યા છે, પુદ્ગલ દ્રવ્ય ઘણુ અવયવોવાળું છે સંખ્ય પ્રદેશી, અસંખ્ય પ્રદેશી, અનંત પ્રદેશી, અનંતાનંત પ્રદેશી સ્કંધ વિગેરે સર્વ પુદ્ગલના આકાર છે. શંકા-કાય શબ્દને અર્થે જ્યારે અવયવ-મહત્વ કરી (મુદ્દગલાસ્તિકાય પણ ઘણું અવયવાળું દ્રવ્ય છે એમ સિદ્ધ કરે છે તે પરમાણુ એ પણ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય છતાં અવયવથી રહિત છે. તે તેમાં પક્ત અર્થથી વિરોધ (અવ્યાપ્તિ) આવશે તેમાં તમે શું કહે છે?
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy