SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત અને મિત્રવર્ગ ગ્રામચૈત્યે જવાના આડંબરમાં જોડાયેલ હોય તે સએ કલશ, ધૂપ, દીપ, પુષ્પ, ફલ, નૈવેધ વિગેરે સર્વે પૂજાની સામગ્રી સાથે લેવી જોઇએ. ઉપર જણાવેલ અધિકારમાં એક વસ્તુ ખરેખર ધ્યાન ખેંચે એવી છે અને તે એ કે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા નાન અને વિલેપનથી શરૂ થાય છે, અને તેથી જળ અને સુગન્ધિદ્રવ્યની જરૂર જણાવવી જોઈએ, છતાં શાસ્ત્રકાર પુષ્પાદિદ્રવ્યોને પૂજાના સાધન તરીકે જે જણાવે છે તેનું કારણ ગંભીરપણે વિચારવાની જરૂર છે. ઉપયોગમાં પ્રથમ જલ હેવા છતાં પુષ્પાદિ પૂજા કેમ! જૈન જસ્તાને એ વાત તે ધ્યાનબહાર નથી કે જેવી રીતે સુવર્ણ, રત્ન, રૂપું વિગેરે ઉત્તમ ધાતુઓની મૂતિએ જેમ થાય છે, તેમાં અનેક પ્રકારના ઉત્તમપાષાણની મૂતિઓ પણ કરવામાં આવે છે, આ મૂતિઓ જેવી રીતે શાસ્ત્રવચનેને અનુસરીને કરવામાં આવેલી મનાય છે, એવી જ રીતે માટીની મૂતિ પણ બનાવવાનું શાસ્ત્રોમાં અનેક સ્થાને સૂચન છે, અને તે મૂતિઓ બનાવેલાના પણ લેખે શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે છે. તે તેની માટીની મૂતિ ઉપર, અભિષેક-વિલેપનાદિ ન હોય, અને પુષ્પાદિકથી જ પૂજન કરવાનું હોય, તેથી પૂજામાં પુષ્પની વ્યાપકતા ગણીને શાસ્ત્રકારોએ ઘણે સ્થાને પુષ્પાદિપૂજા જણાવી હોય તે તે યોગ્ય છે. વળી કેટલાકના કહેવા પ્રમાણે વિલેપનાદિકની પૂજાએ પોતપિતાને સ્થાનેજ માત્ર પ્રવર્તતી હોય છે, પરંતુ પુરુષને ઉપગ તે કુસુમાંજલી, મુખ્યપ્રકર, પુષ્પપૂજા, આંગીરચન, પુષ્પગૃહ વિગેરે અનેકસ્થાનમાં હોય છે અને તેથી દ્રવ્યપૂજામાં મુખ્ય પ્રાધાન્યતા ભગવે છે.
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy