SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પુસ્તક ૧-લું કહેલું હોવાથી અન્ય રંગના વસ્ત્રોનું પણ વિધાન જણાવેલું છે, છે પરંતુ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ વેતવસ્ત્રનું જ વિધાન કરે છે અને ઉદાયીરાજાની પટરાણી શ્રી પ્રભાવતી દેવીને જે અધિકાર નિશીથસૂત્ર વિગેરેમાં આવે છે તેમાં પણ સફેદ શિવાયના રંગવાળા વનું પૂજામાં સર્વથા અનુસૂચિતપણું જણાવવામાં આવ્યું છે. આજ અપેક્ષાએ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ પૂજાના વસ્ત્રોનું વિધાન કરતાં પણ સફેદ વસ્ત્ર હોવાનું જણાવે છે. અને શ્રાદ્ધદિનકૃત્યગ્રંથના મૂલસૂત્રને કરનારા પૂર્વાચાર્ય પણ સેવનથળચરો એમ કહીને વેતવસ્ત્ર પહેરવાનું સ્પષ્ટપણે જણાવે છે. શ્રી દેવેન્દ્રસૂરિજીના અને શ્રી શ્રાદ્ધદિનકૃત્યના મૂળકાર આચાર્યના મુદ્દા પ્રમાણે સિતામવા એ જગપર શુભશબ્દ માત્ર સફેદ વસ્ત્રની પવિત્રતા માટે જણાવવામાં આવેલ હોય એમ ગણવામાં આવ્યું હશે. આ વાતને વિચારવાનું વાચકે ઉપર છોડીને આગળ આવતાં ગ્રન્થકાર શું કહે છે તે વિચારીએ વસ્ત્રના યુગ્મમાં અષ્ટપટ થાય તેવું ઉત્તરાસણ હેવું જોઈએ. વર્તમાનકાળમાં કેટલેક સ્થાને પહેરવાના અને ઓઢવાના એ બે વસ્ત્રો કરતાં મુખકેશ બાંધવા માટે ત્રીજું વસ્ત્ર રાખવામાં આવે છે, પરંતુ દેવેન્દ્રસૂરિજી મહારાજ ચેકખા શબ્દોમાં જણાવે છે કે પવિત્ર અને સફેદ એવા વસ્ત્રનું યુગ્મ એટલે જેલુંજ માત્ર જોઈએ. અને તે ઓઢેલા વસ્ત્રના છેડાથી આઠપડે મુકેશ કરે જોઈએ. યાદ રાખવું કે પ્રાચીનકાળમાં ઉત્તરાસણનાં વસ્ત્રો મોટા પ્રમાણમાં રાખતા હતા, અને તેથી તેના છેડે આઠપડે મુખકેશ કરવા જેટલી અનુકુળતા બરોબર રહી શકતી હતી. તેવી રીતે તે મુખકેશને ભાગ ગૌત્યવદન કરતી વખતે અને ભૂમિપ્રમાર્જન માટે કામ લાગતું હતું. કેમકે જેવી રીતે પૂજન કરતી વખતે આઠપડા મુખકેશની જરૂર ગણવામાં આવી છે, તેવી રીતે અગર તેથી પણ અધિકપણે ચૈત્યવન્દનરૂપી ભાવપૂજા કરતી વખતે ચૈત્યવંદનની જગ
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy