SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું મહારાજના જન્મને અંગે તે સાતે ગ્રહોની ઉચ્ચ-દશા આવશ્યક હેય છે અને તેવી સાત ગ્રહોની ઉચ્ચદશા ઉત્સર્પિણ કે અવસર્પિણુમાં વીસ વખતથી વધારે વખત હોય નહિં, તેમજ ગ્રેવીસ વખત તેવી ઉચ્ચતા દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં આવ્યા વિના પણ રહેજ નહિં, તેથી દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણમાં ચોવીસ વખત થતા સાતે ગ્રહના ઉચ્ચપણને લીધે ગ્રેવીસ જ તીર્થકરો દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં થાય. એટલે ન તે પચીસ તીર્થક થાય, ન તે ત્રેવીસ તીર્થકરે થાય ! આ રીતે સાતે ગ્રહની ઉચ્ચતાને લીધે થનારા તીર્થકરે જગના ઉદ્ધારને માટે બાંધેલા તીર્થકર નામકર્મના ફળ તરીકે દ્વાદશાંગીરૂપી અને ચતુર્વિધ સંઘરૂપી તીર્થને પ્રવર્તાવનારા હેય. કોઈપણ તીર્થકર પિતાના છેલ્લા ભવમાં દ્વાદશાંગીરૂપ કે ચતુર્વિધ શ્રીસંઘરૂપી તીર્થને પ્રવર્તાવવા શિવાયના હેયજ નહિં. આ વસ્તુ વિચારનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે પહેલાના પ્રવર્તતા તીર્થો યુછેદ થયા પછી નહિં, પરતુ ચાલુ છતાં પણ ભગવાન તીર્થકરેની તીર્થ પ્રવૃત્તિ થાય તેની પહેલાં થડે કે ઘણે વખત મુક્તિપ્રાપ્તિને ભુછેદ તે થયેલ હોય છે અને આ કારણથી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને ભગવાન જિનેશ્વર મહારાજાઓની પર્યાય અને પરંપરાની અપેક્ષાએ અન્નકૃત ભૂમિ એટલે મેક્ષ ગમનની સ્થિતિને વિચાર કરવામાં આવે છે. પરમ પવિત્ર પર્યુષણ પર્વમાં શ્રીપર્યુષણ-કલપસૂત્રને સાંભળનાર મહાશયેથી ઉપર જણાવેલી બે પ્રકારની અન્તકૃત ભૂમિ તે જાણ બહાર ન જ હોય? એટલે મોક્ષમાર્ગ બંધ થયેલ હોય અને તેને તીર્થકરેથીજ નવેસરથી શરૂ થવાનું થાય એ હકીકત સહેજે સમજાય તેવી છે.
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy