SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સં.] માં શ્રી નમસ્કાર મહામંત્ર અંગે - પૂ. આગાદ્વારકશ્રીના ચિંતનાત્મક ખુલાસાઓ (પ્રશ્નોત્તરરૂપે) [ પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીએ “શ્રી સિદ્ધચક” (વર્ષ ૧) માં ચતુવિધ શ્રી સંઘના પ્રશ્નોના ખુલાસારૂપે જે પ્રશ્નોત્તરે પ્રગટ કરાવેલા, તેમાંથી પૂ. આગમ દ્વારકશ્રીના વ્યાખ્યામાંથી શ્રી નમઃ મહામંત્રને લગતા ખુલાસાઓ વિવેકી વાચકના હિતાર્થે સંકલિત કરી રજુ કર્યા છે. આ સંકલન જામનગરના વિદ્વાન શ્રેષ્ઠી સ્વ. શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ કરાવેલ તે પરથી સંકલિત કરી રજુ કરવામાં આવે છે. પ્ર. ૬૮ અક્ષરમય શ્રી નવકાર મહામંત્ર ગણવા કરતાં ૩ નમ: પાર્શ્વનાથાય જે ટૂંક મંત્ર ગણીએ તે શું તેની (નવકાર મંત્રની) અવગણના થાય ખરીકે ? વર્ષ ૧ પૃ. ૩૦૭ પ્રશ્ન ૩૪૭ ઉ. હા! નવકાર મંત્રની અવગણના જરૂર થાય છે. શ્રી નવકાર મંત્રના જે સારા સંસ્કાર પડી જાય તે ભવાંતરમાં જિનધર્મની સરળતાથી પ્રાપ્તિ થાય છે. તેથી આ મહામંત્રને જપ કરવાને બદલે 9% વાળા કેઈ પણ મંત્રને જપ કરવા કહે, તેમાં શ્રી નવકારની અવગણના છે. ' અહીં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ તે ફકત શ્રી નવકાર મહામંત્રને સંસ્કૃતમાં ટૂંકાવી નાખવા વિચાર કર્યો તેમાં તેમને પારાંચિત નામનું પ્રાયશ્ચિત આવ્યું હતું.
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy