SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત કારણ કે –સમ્યગ્ગદર્શન–જ્ઞાન અને ચારિત્રના ગુણેને પામેલ સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ સંઘ રિએ જ વણ ઉર્જ એ ન્યાયે અન્ય ભવ્યજીને પણ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની અંદર સ્થાપન કરનાર હોઈ તીર્થરૂપ બને છે તેથી તે ચર્તુવિધ સંઘ જંગમતીર્થ રૂપ ગણાય છે. આ ચાર પ્રકારના જંગમ તીર્થને અંગે વિચાર કરીએ તે સ્પષ્ટ સમજાશે કે સાધુ-સાધ્વીનું વિહારક્ષેત્ર મુખ્યતાએ આર્યક્ષેત્ર હોય છે. કેક સંપ્રતિ મહારાજ જેવા શાસન-પ્રભાવક જૈન રાજાના પ્રતાપે અનાર્યક્ષેત્રે પણ જ્ઞાન-દર્શન અને ચારિત્રની વૃદ્ધિના કારણ રૂપ બને. આથી તે વખતે તેવા અનાર્ય–ક્ષેત્રોમાં પણ સાધુ-સાધ્વીરૂપ જંગમ તીર્થને વિહાર હોઈ તીર્થને અનાર્યમાં સદ્ભાવ હેય અને એને અંગે અફવા ગરથ –હંસાકુ-રિવાળિ વધ્વતિ એ પક્ષાન્તરથી ગૌણ આદેશ શાસ્ત્રકારેને કરવું પડે છે. પરન્તુ મુખ્યપક્ષે વિચાર કરતાં સ્પષ્ટપણે માલમ પડશે કે-શાસ્ત્રકાર મહારાજે સાધુ-સાધ્વીના વિહારનું ક્ષેત્ર બતાવતાં આર્ય ક્ષેત્ર જ લાયકપણે ગણાવ્યું છે. અને તેથી વિહારની મર્યાદા જણાવતાં તીવ્ર તાવ મારિય-વિરે એમ ફરમાવી સ્પષ્ટ કર્યું છે કે જેટલું આર્યક્ષેત્ર અંગ-મગધાદિક છે. તેટલા ક્ષેત્રમાંજ સાધુ-સાધ્વી રૂપ જંગમતીર્થને વિહાર હોય. ઉપર જણાવેલા પાઠથી સ્પષ્ટપણે માલમ પડશે કે આર્યક્ષેત્રથી બહાર જે કંઈપણ સાધુ કે સાધ્વી વિહાર કરે તે તે પ્રાયશ્ચિત્તને ભાગી બને. આ પ્રમાણે જયારે સાધુ–સાવીને વિહાર આર્યક્ષેત્ર સાથે નિયત કરવામાં આવેલ છે, ત્યારે શ્રમણોપાસક અને શ્રમણોપાસિકારૂપ બે જંગમ તીર્થોને પણ રહેવાનું કે પર્યટન કરવાનું
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy