SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પકે પુસ્તક ૩-જુ પરિણતિ ફરે તેવી વખત અશુભ આલબને કદાચિત જે મળી. જાય છે. તો જીવોનું પતન થઈ જાય છે, પણ તેવી વખતે ગુરમહારાજા કે જેઓનું આલંબન તે ભવ્યજીવો સંસાર સમુદ્રથી તરવાને લે છે. તે ગુરુ મહારાજની ફરજ આવી પડે છે કે તે સંસાર સમુદ્રથી તરવાને શરણે આવેલા ભવ્ય જીવને જે અશુભ. આલંબન મળેલું હોય તે દૂર કરાવે, અને તે ભવ્યાત્માના પરિણામને ઔદયિક ભાવથી હઠાવીને ક્ષાપશમિક ભાવમાં લાવે.. જે કે મુખ્યતાએ ગુરૂમહારાજનું ધ્યેય તે શિષ્યના પરિણામ સુધારવાનું હોય છે, પણ કર્મવશવત સર્વ આત્માઓ આલંબનને આધીન હોવાથી ગુરુમહારાજની ફરજ પ્રથમ તે અશુભ આલંબન દૂર કરવાની રહે છે, અને આ વાત વિચારતાં ઘણુ યુક્તિયુક્ત. માલમ પડશે, કેમકે જિનેશ્વર ભગવાનેએ સાધુ મહાત્માઓને બ્રહ્મચર્ય પરિણતિનો ઉપદેશ આપતાં સ્ત્રી, પશુ, પંડકવાળી વસતિને ત્યાગ વિગેરે નવ બ્રહ્મચર્યની ગુપ્તિએ પાળવાને ઉપદેશ ઘણાજ જેરથી આપેલે છે, તેવી રીતે અહીં પણ આચાર્ય મહારાજે શિવભૂતિને સંસારસમુદ્રથી તરવાને માટે હસ્તાવલંબ આપેલે હોવાથી તે શિવભૂતિને રત્નકંબલની થએલી મૂછ છોડાવવી અત્યંત વ્યાજબી હતી, અને રાજાએ આપેલા અને તેણે ગ્રહણ કરેલા સાધુને નહિ ક૯પતા એવા રત્નકંબલ કે જે તેની મૂછનું આલંબન હતું, તેને નાશ કર્યા સિવાય બીજે રસ્તે નહોતું અને તેથી તે શિવભૂતિ ઓશીકામાં બાંધેલી તે રત્નકંબલને વારંવાર જો હોવાથી મૂછિત થએલે જાણી તે શિવભૂતિર્ની ગેરહાજરીમાં આચાર્ય મહારાજે તે રત્નકંબલના કટકા ક્ય. ને તે કટકાઓ, સાધુસમુદાયને વહેંચી દીધા, અને તેને પાછણું કરાવ્યાં. શિવભૂતિને પ્રગટેલે કેધ દાવાનલ આ બધું બન્યા પછી શિવભૂતિનું બહારથી ઉપાશ્રયમાં આવવું થયું, અને તે જ્યારે જ્યારે બહારથી આવતા હતા ત્યારે પિતાને અત્યંત વહાલી લાગેલ રત્નકંબલને જતા હતા, અને આ
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy