SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત ઉત્તર–મોક્ષની ધારણાએ ચારિત્ર લીધું જ નથી. શાસ્ત્રકારોએ કહ્યું કે અનંતી વખતે લેવાએલું ચારિત્ર તે દ્રવ્યચારિત્ર છે. ભાવ ચારિત્ર અનંતી વખતે આવવાનું શાસ્ત્રકારોએ કહ્યું જ નથી. ચારિત્રમાં વધારેમાં વધારે આઠ ભવ. ભાવચારિત્ર હોય તે તે આઠ ભાવમાં તે મોક્ષ મેળવી જ દેવાનું. અનંતચારિત્ર થયા તે સઘળા દ્રવ્યચારિત્ર. તે ચારિત્ર દેવલેક મેળવવા માટે. માનપૂજા માટે, સત્કાર માટે, જે ચારિત્ર લેવાય છે, તે દ્રવ્યચારિત્ર છે. આવા અનંતાચારિત્ર મેક્ષ આપી શકે નહિ. જે બીડમાં–જે ખેતરમાં જાણે વા નથી, તે બીડમાં સોએ વરસ ઘાસ જ થાય, ધાન્ય નહિ જ ઊગે. કારણ કે ધાન્યને દાણે વાવ્યું નથી. તેમ અનંત ચારિત્ર ક્ય, વરસાદ આવે, પણ બીજ–મેક્ષરૂપી બીજ ન વાવ્યું એટલે ધાન્ય નહિ ઉગ્યું. જે ચારિત્રમાં દેવકના, મનુષ્યલકના સુખની ઈચ્છા નથી તેવું કેવળ કલ્યાણની ભાવનાવાળું એક જ ચારિત્ર બસ છે. કલ્યાણની ભાવના રહી હોય તે એ સંસાર નિર્વેદ થયે. ચારિત્ર બગડયું તે દેવ કાદિકની ઈચ્છાએ. અનંતા ચારિત્રે જે બગડ્યા, તે દેવકાદિના સુખને બગાડયા. કર્મક્ષય કે ફક્ત આત્મકલ્યાણની ભાવનાવાળું ચારિત્ર કંઈપણ બગાડતું નથી. એવા ચારિત્ર અનંતી વખત થઈ શકતા નથી. માર્ગાનુસારીપણું દરેક મતમાં માનીએ છીએ. માર્ગાનુસાર પણું તે તેમના મતના મેક્ષને અનુસરીને હેય. જુઠી મહેરની ઈચ્છા પણ મહોરના અથીને થાય. મેક્ષની ઈચ્છાએ ચારિત્ર થએલા જ નથી. જે મેક્ષની ઈચ્છા થાય તે તે દ્રવ્ય ચરિત્ર કહેવાય જ નહિ. સતીને નામે સ્ત્રીઓ બળી મરતી હતી, પણ તે શાને અંગે? મારા કુટુંબમાં હું સતી ગણાઈશ એ લેભથી, પછી તેનું જીવન ગમે તેવું હોય. તે પછી માનપૂજાને માટે ધર્મની કિયાએ તીવ્ર હોય તેમાં અસંભવીત શું છે? જે શાસ્ત્રકારે અનંતા ચારિત્ર કહે છે. તે જ શાસ્ત્રકારે જણાવે છે કે એ ચારિત્ર દેવલેકાદિકની ઈચ્છાએ ચારિત્ર લેવાય તે ચારિત્ર છે. ચારિત્રના ભેદ, અભવ્ય આત્માઓએ અનંતાચારિત્રે લીધા છે, તેને પણ
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy