SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ ૧૭ સમ્યગ્દર્શનાદિ-રત્નત્રયીને પણ તેઓ જણાવી શકતા નથી, છતાં પણ જૈનદર્શનના અનુકરણથી છોકરાએ કાચમાં વાપરેલા હીરા શબ્દની માફક પોતપોતાના માર્ગના ફલમાં મેક્ષ શબ્દને પ્રવેગ કરે છે. ' અર્થાત્ દરેક આસ્તિક ધર્મવાલા હાય તે કુદેવને દેવરૂપે માને, કુગુરૂને ગુરૂરૂપે માને, કુધર્મને ધર્મરૂપે માને, સુદેવને સુદેવરૂપે ન માને, સુગુરુને સુગુરૂરૂપે ન માને, અને સુધર્મને સુધર્મરૂપે પણ ન માને, તે પણ પોતાનું સાધ્ય તે મોક્ષજ છે એમ માને છે, અને તેથી દરેક મતવાળાએ મુમુક્ષુદશાને એકસરખી રીતિએ ઉત્તમ ગણેલી છે, એટલે ઝવેરીમાં અને બાલકમાં જેમ હીરાશબ્દને ઉચ્ચારે એક સરખી રીતે ઉત્તમપણે વપરાયેલ છે, તેવી રીતે મેક્ષરૂપ સાધ્યને નિર્દેશ દરેક મતવાળાએ ઉત્તમોત્તમ રીતે કરે છે. આ વાત જ્યારે ખ્યાલમાં લઈશું ત્યારે કઈક કેઈક ગ્રંથકારે જે જણાવ્યું છે કે અભવ્યજી કે જેઓને મેક્ષની ઈચ્છા હતી નથી, તેવા અભવ્યજીને આ આસ્તિકમતનું મિથ્યાત્વીપણું દેવું સંભવિત નથી, તે ખરેખર દીર્ઘદ્રષ્ટિથી થયેલું કથન છે. જો કે ભવગતદેવને દેવ તરીકે માનવા તે પણ આજેગિક મિથ્યાત્વ છે, પરંતુ તેવા ભવફલની અપેક્ષાએ ભવગત દેવેને માનવરૂપ મિથ્યાત્વ અગર નાસ્તિકાદિકના મતે દેવને ન માનતાં કુગુરૂ આદિને માનવારૂપ આગિક મિથ્યાત્વ અભવ્યજીને હોવું અસંભવિત નથી. પરંતુ પૂર્વે જણાવેલ મેક્ષની સાધ્યતાવાળા આસ્તિકદશનેને અનુસરવાથી થતું આગિકમિથ્યાત્વ તે અભવ્યજીમાં હેય નહિં એ સ્વાભાવિક ધ્યાન રાખવું કે આવી રીતે મોક્ષબુદ્ધિથી જે જે મતમતાંતરમાં યથાભદ્રિકભાવે ક્રિયા કરવામાં આવે છે, તેવી કિયાવાળાઓમાં વિનયીપણું, દાક્ષિણ્યતા પ્રિયભાષીપણું વિગેરે ગુણે મિથ્યાત્વીમાં છતાં પણ અનુદવા લાયક બને છે. કારણ કે મિથ્યાત્વની વૃદ્ધિ થવાને પ્રસંગ તે મિથ્યાત્વીએના ગુણોના વર્ણનથી આવે કે જેઓ
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy