SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું આનંદ દેનારે થાય, તે હેતુથી પુણ્યાનુબંધી પુણ્યને મેળવવા સાથે આત્માને ભવથી પાર ઉતારવાની બુદ્ધિવાળો ભાગ્યશાળી પુરુષ યાત્રિકગણને નેતા બનવાને ભાગ્યશાળી થાય. તેથી ગામે-ગામ અને સ્થાને-સ્થાને અનેક પ્રકારે સ્નાત્ર પૂજા મહોત્સવ–આદિ કરવા-કરાવવા દ્વારા પોતાના દ્રવ્યની જિનમૂર્તિ, તથા સાત ક્ષેત્રના પિષણ દ્વારા કૃતાર્થતા કરનારે થાય તે સ્વાભાવિક છે, કારણ કે-ધર્મનિષ્ઠ મહાપુરુષે પિતાને મળેલ ધનધાન્યાદિકદ્રમાંથી તેટલા જ દ્રવ્યને સફળ ગણે છે કે જેટલું દ્રવ્ય શુભ કાર્યમાં વાપરવા ધારીએ અને ઉપયોગમાં આવે અને શ્રાવકને જિનેશ્વર-મહારાજની પૂજા જેવું કોઈ પણ (સક્ષેત્ર) લાભદાયી નિવડી શકતું નથી, એ સ્વભાવસિદ્ધ છે. ધર્મ-પ્રાપ્તિ કરતાં આચરણની દુર્લભતા ઉપર જણાવ્યા પ્રમાણે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની માન્યતા-દર્શનીયતા અને આરાધ્યતા એક સરખા રૂપે છતાં પણ યાત્રિકગણના નેતાને વિવેકને માર્ગ ખેળવાની ઘણું જ જરૂર છે. જેવી રીતે જગતમાં ધર્મ પ્રાપ્ત થવે મુશ્કેલ છે, છતાં તે ધર્મ પ્રાપ્ત થયા પછી પણ તેની પરીક્ષા કરવાની ઘણું જરૂર રહે છે, કેમકે ધર્મના નામે પ્રવતેલા અનેક અધર્મોને વિવિધ પ્રકારે પરીક્ષા કરીને દૂર ન કરે ત્યાં સુધી જીવ શુદ્ધ-ધર્મ પામી ન શકે, અર્થાત્ એમ કહીએ તે ખેટું નથી કે ધર્મની પ્રાપ્તિ મુશ્કેલ છે, એ વાક્યને અર્થ–ધર્મની પ્રાપ્તિ જેટલે અંશે મુશ્કેલ છે, તેના કરતાં પરીક્ષા-વિધિથી શુદ્ધ ધર્મની ગવેષણું કરીને શુદ્ધધર્મ ગ્રહણ કરાય તે રૂપે ધર્મની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે, એ ઘટાવ. નહિંતર તે અભવ્ય પણ સામાન્ય-ધર્મની પ્રાપ્તિ તે શું? પણ ભગવાન જિનેશ્વર મહારાજના ધર્મની પ્રાપ્તિ પણ અનંત વખત મેળવી શક્યા છે, અને અનંતીવાર મેળવી શકે છે, એટલે સામાન્ય ધર્મ પ્રાપ્ત થે, તે પણ મુશ્કેલ નથી, એટલું જ
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy