SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું કૃષ્ણગરૂ શ્રેષ્ઠ–શિલારસ અને તુરૂષ્કથી બનેલા ધૂપની મઘમઘાયમાન ગંધથી વ્યાપ્ત તેમજ ધૂપના ગોટાને કાઢતો એવા વૈર્યમય ધૂપધાણાને ગ્રહણ કરીને ઉપગ-પૂર્વક જિનેશ્વરની આગળ ધૂપ કરે છે. પછી વિશુદ્ધ-રચનાવાળા, અર્થ સહિત, બેવડાયેલા વગરના, એક આઠ મહાકાએ કરીને ભગવાનની સ્તુતિ કરે છે. સાત-આઠ ડગલાં પાછળ-પાછળ ખસે છે, ડાબે ઢીંચણ ઊભો રાખી જમણે ઢીચણ જમીન પર સ્થાપન કરી ત્રણ વખત મસ્તકથી જમીનને ફરસે છે. પછી બે હાથ વાળી અને મસ્તક આગળ જમણેથી આવત કરી અંજલિ કરીને એમ બોલે છે કે– અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ !! આ રીતે વાંદી-નમસ્કાર કરી જે જગે પર દેવછંદ છે, જ્યાં સિક્રાયતનને બહુ મધ્ય ભાગ છે, ત્યાં આવે છે, આવીને મારપછી લે છે, લઈને સિદ્ધાયતનના મધ્યભાગોને મેરપીંછીથી પ્રમાર્જન કરે છે, મને હર પાણીની ધારાથી સીંચે છે, સરસ–ગોશીષચંદને પાંચ-અંગુલીના આંતરીવાળું માંડેલું આલેખે છે, વાળ-ગ્રહણની માફક યાવતુ પુષ્પ-સમુદાયની પૂજા કર્યા જેવું કરે છે, પછી ધૂપ દે છે પછી સિદ્ધાયતનના દક્ષિણ-બારણે આવી મેરપીંછી લઈને બારણુંની નાની અને મહેાટી પુતળીઓને યાવત્ સર્ષના રૂપને મેર– પીંછીથી પ્રમાર્જન કરે છે. મને હર પાણીની ધારાથી સીંચે છે, મનહર ગશીર્ષ—ચન્દનથી થાપાઓ આપે છે, આપીને પુષ્પમાલા યાવત્ આભરણનું આરોહણ કરે છે, પછી ઉપર-નીચે લાગેલા છેડા છે જેના એવી કુલમાલાને સમુદાય કરી ધૂપ દઈને જ્યાં દક્ષિણદિશાને મુખ-મંડપ છે અને જ્યાં દક્ષિણદિશાના મુખમંડપને મધ્યભાગ છે, ત્યાં આવીને પૂજણ લઈને મધ્ય ભાગને પૂંજણીથી પ્રમાર્જન કરે છે. પછી મનહર–પાણીની ધારાથી સીંચે છે, સરસ એવા ગશીર્ષ—ચન્દનથી પંચાંગુલિ-તલવાળું માંડલું આલેખે છે, વાળને ગ્રહણ કરવાની માફક પુપેને ગ્રહણ કરીને મૂકેલાની માફક કૂલેને વિખેરે છે, યાવત્ ધૂપ દે છે.
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy