SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત જાણવા અને માનવાની જરૂરીયાત તરીકે ગણવામાં આવે ત્યારે તે આઠે કર્મોના આવરણથી છુટેલા જી તરફ, તથા છુટવા માગતા એવા તરફ અને છુટવાના સાધને તરફ બહુમાનથી જોવાની અને તેના તરફ ભક્તિ-બહુમાન અને પૂજા આદિની પ્રવૃત્તિ કરવાનું ફરજીયાત તરીકે સમજે, એટલું જ નહિ, પરંતુ તે દ્વારા પિતાના આત્માને પણ આઠે કર્મોના આવરણથી રહિત કરે, એજ સાચું ધ્યેય છે, એમ સર્વથા માનનારે થાય છે. આ જણાવેલા પગથીયામાં જે કંઈ ખામી માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિઓથી થાય, તે સર્વને સમ્યકત્વના પ્રથમ–પગથીયાવાળે પણ દૂષણરૂપ અને વિષરૂપ ગણનારે હોય. આ ઉપર જણાવેલા સમ્યકત્વને પ્રભાવ એટલે બધે છે કે તે આત્માને જે જ્ઞાન થાય તે જ્ઞાન સમ્યજ્ઞાન જ ગણાય, પછી ભલે તે જ્ઞાન સ્વ–પરના વ્યવસાયવાળું હેઈને શુદ્ધ નિશ્ચય-સ્વભાવવાળું હેય, અગર સંશય, વિપર્યય કે અનધ્યવસાયરૂપ હેઈને બાહ્ય-પદાર્થને માટે અનુપાગી કે દુરૂપયેગી ગણાતું જ્ઞાન હોય, પરંતુ તે સર્વ-જ્ઞાન સમ્યજ્ઞાન રૂપજ હોય અને ગણાય. આ સ્થાને જરૂર શંકા થશે કે સમ્યકત્વવાળા જીવના શુદ્ધનિશ્ચયસ્વભાવવાળા જ્ઞાનને સમ્યજ્ઞાન તરીકે કહેવામાં આવે, તેમાં તે મતભેદ હોઈ શકે નહિં, પરંતુ સંશય, વિપર્યય અને અનધ્યવસાય જેવા જ્ઞાન કે જે શુદ્ધનિશ્ચયને માટે અનુપયેગી થાય છે, એટલું જ નહિ, પરંતુ શુદ્ધનિશ્ચય થવામાં ઘણી વખત વિજ્ઞરૂપ થાય છે, છતાં તેવાં સંશયાદિજ્ઞાને કે જે સમ્યજ્ઞાન ન કહેવાતાં મિથ્યાજ્ઞાને કહી શકાય, તેવા જ્ઞાનેને સમ્યક્ત્વના પ્રભાવે સમ્યજ્ઞાન તરીકે એાળખાવવા તૈયાર થવું, તે કેવલ સમ્યકત્વના પક્ષપાતની જ દષ્ટિ ગણાય. આ શંકાના સમાધાનમાં સમજવું કે સ્વભાવથી રગે કરીને પીળે એ તિર્મય દીપક જે પ્રકાશ સ્વભાવને છે, તે તે દીપકને
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy