SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ પુસ્તક ચોથું ૪ પ્રશ્ન-ભવસિદ્ધિક અને ભવ્યમાં ફરક છે ? અને ભવસિદ્ધિક એ શબ્દને ભવ્ય એ ભાવાર્થ ન લખ્યું હોત તે અડચણ શી? . સમાધાન-ભવ્ય શબ્દનો અર્થ આગળ પણ જણાવ્યું છે કે “મોક્ષ. પામવાની લાયકાત” અને ભવસિદ્ધિક શબ્દને અર્થ પણ જણાવ્યું છે કે કેટલાક ભએ પણ જેની સિદ્ધિ થવાની છે તે ભવસિદ્ધિક કહેવાય. આ જગો પર જે ભવસિદ્ધિક શબ્દને ભાવાર્થ” ભવ્ય તરીકે લેવામાં ન આવે તે જે ભવ્ય ભવ્યપણના સ્વભાવવાળા છે અને મોક્ષ પામવાના નથી તેવાઓને ન તે ભવસિદ્ધિક કહી શકાત, તેમ ન તે અભવસિદ્ધિક કહી શકાત. એટલે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક સિવાયને ત્રીજો વર્ગ ત્યાં જણાવે પડત અને તે શાસ્ત્રકારોએ ત્રીજો વર્ગ જણ નથી, માટે વ્યાખ્યાકારોને તે જાતિભવ્યોને ભવસિદ્ધિકમાં ગણાવવા માટે ભવસિદ્ધિક શબ્દને ભાવાર્થ ભવ્ય એમ કરવું પડશે અને તેવી જ રીતે અભવ્યસિદ્ધિક શબ્દથી પણ જે અભવ્ય એ ભાવાર્થ ન લે અને એ પણ જેની સિદ્ધિ નથી, એવા જીને અભવસિદ્ધિક તરીકે લે તે જે જાતિભવ્ય અગર બીજા ગ્યતાવાળા ભવ્ય મેક્ષ ન પામે, તે બધાને અભાવસિદ્ધિકમાં લેવા પડે, માટે શાસ્ત્રકારોએ અભવસિદ્ધિકને ભાવાર્થ પણ અભવ્ય એમ જણાવ્યું. ૫ પ્રશ્ન–જે જીવમાં ભવ્યપણને સ્વભાવ છે. તે જીવને જે જે કાળે મનુષ્યત્વાદિક સાધને મળે છે તે કાળે તે તે જેને સમ્યગ્દર્શનાદિ રૂપી મોક્ષમાર્ગની પ્રાપ્તિ જરૂર થાય-એમ માનવું કે નહિ?
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy