________________
પુસ્તક ત્રીજુ કંટાળે લાવવું જોઈએ નહિ. પણ પરીક્ષક બની સાચા-ખોટાને પારખતાં શીખવું જોઈએ! “કોઈ કાંઈ કહે છે, કોઈ કંઈ કહે છે” આપણને એમાં ખબર પડે નહિ”—“આપણે ઊંડા ઉતરવું નહિ અને કઈ ઠેકાણે જવું પણ નહિ. આવી જાતના વિચાર કરવામાં આવે તે તેને શું અર્થ?
ઈમીટેશન દેખી ઘરનું સાચું ફેંકી દેવું એમ? સાચા-ખોટાની કોને ખબર છે? એવી માન્યતાને ધરનારે કે કહેવાય? ઈમીટેશનની પ્રવૃત્તિ દેખી સાચા હીરાને ફેંકી દે એ કે ગણાય ? જે આપણે તેને મૂર્ખ ગણીએ-અણસમજુ ગણીએ તે પછી ધર્મના ફાંટા દેખી દૂર રહેનારા અને સત્ય વસ્તુને મેળવવામાં વંચિત રહેનારા કેવી સ્થિતિમાં ગણાય? બારીક બુદ્ધિથી ધમને તપાસ :
આ માટે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ ચાકુનું જણાવ્યું છે કે- જેઓને ધમની ઈચ્છા હોય તેઓએ ધર્મને બારીક બુદ્ધિથી જોવે.
બજારમાં શાકના ઢગેઢગ પડયા હોય–તેના ડીંટા પણ પડયા હોય ત્યાં ખરીદી કરતાં દરકાર ન કરીએ તે ચાલે, પણ કીંમતી ચીજની ખરીદી કરતાં દરકાર કર્યા વગર ચાલતું નથી. પરીક્ષા કર્યા વગર આંખ મીંચી કીંમતી ચીજ ખરીદાય? બેર-જાંબુ વિગેરે અંધારામાં ખરીદાય પણ ઝવેરાત–હીરા–મતી વિગેરે અંધારામાં ખરીદાય? ઝવેરાત ખરીદવા માટે તે આઈ-ગ્લાસ દિવસે પણ રાખવા પડે છે. કેમકે કીંમતી. તેથી પરીક્ષાને અવકાશ. એવી જ રીતે ધર્મ કીમતીમાં કીંમતી ચીજ હોવાથી તેને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવાની આજ્ઞા ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ ફરમાવી. દ્રષ્ટિ-દેષઃ
જેમ સૂર્યને સૂમ દષ્ટિથી જોવાની જરૂર રહેતી નથી, કેમકે તે તે સ્વયં પ્રકાશમાન હવાથી સર્વત્ર પ્રકાશને ફેલાવે છે, તેમ