SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ત્રિીજુ જો કે ભગવાન તીર્થકરના જ ઘણે ભાગે તીર્થંકરનામ કર્મની નિકાચના કર્યા પછી, ક્ષાયિક–સમ્યકત્વમાં કે ક્ષાયિક જેવા ક્ષાપશમિક સમ્યકત્વમાં જ વર્તવાવાળા હોય છે, પરંતુ કદાચ તેવા કેઈ જીવને ક્ષાપક્ષેમિક હોય અને તેણે આયુષ્ય કદાચ નરકનું પ્રથમથી બાંધી લીધેલું હોય અને તેથી તેને અત્યંત અલ્પકાળ મિથ્યાત્વમાં જવાને પણ કદાચ વખત આવે, તે પણ તે અવસ્થામાં તે તીર્થકરનો જીવ તેવા કર્મો તે નજ બધે કે જેથી ભવની વૃદ્ધિ થવાનું બને. તીર્થકર નામકર્મની નિકાચનાની સાથે થતે પ્રભાવ જણાવીને, હવે તીર્થકર નામ કમની નિકાચના કેમ થાય છે? તે વિચારીએ. ' વાચકે સારી રીતે સમજી શકે છે કે-જે જે ભવ્ય " સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે તે સર્વે ભવ્યજી સમ્યકત્વના અનુકંપારૂપ લક્ષણદ્વારા તે સમ્યકત્વની સાથે રહેવાવાળી ધર્મના મૂળરૂપ એવી મિત્રી ભાવના દ્વારા આખા જગતના સર્વ જીવોને કર્મથી રહિત થઈને મેક્ષે જવાનું ઈચ્છે છે. એ સ્વાભાવિક જ છે, અને તેથી સમ્યક્ત્વવાળો જીવ ચૌદ રાજલકના સકળ-જંતુઓની ભાવયાં ચિંતવવાવાળો હોય છે, એમ કહી શકાય છે. પરંતુ ભવિષ્યમાં તીર્થકર, ગણધર અને મૂક કેવળી થનારા છ જગતના જીની મુક્તિ માટે અને પિતાની મુક્તિ માટે કેવા વિચાર કરે છે? તે ખરેખર સમજવા જેવું છે. ભગવાન તીર્થકરને જીવ જગતના સર્વ જીને ઉદ્ધારવા માટે વિશિષ્ટ આલંબનેને હું સ્થાપનાર થાઉં અને સર્વ જીવોને તે આલંબન જરૂર ઉદ્ધારનારૂં થાય એવા વિચારવાળા હોય છે, અને તેથી જ તેઓ તે ભવમાં અરિહંતાદિક વીશ સ્થાનકે દ્વારા જગતના અને મોક્ષ પ્રત્યે દોરનારા હોય છે. અને તેથી તેવા જી ત્રીજા ભવે તીર્થકરે થાય છે. . . . . . અણદાભાવના જવાનું થયાના
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy