SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત પૃથકકરણ કર્યા પછી વશ સ્થાનકને આરાધનામાં શો સંબંધ છે? તે વિચારવાની આવશ્યક્તા ઓછી નથી. વાચકવર્ગે ધ્યાનમાં રાખવું કે શાસ્ત્રકારોએ મેક્ષ પામનારા જીમાં ત્રણ વર્ગ પાડેલા છે. એક તીર્થકરનો વર્ગ, બીજો ગણધરને વર્ગ અને ત્રીજે તે તીર્થકર અને ગણધર સિવાયને સર્વ મેક્ષે જવાવાળ વગર આ ઉપર જણાવેલા ત્રણ વર્ગો કેવળ તે ક્ષે જવાના ભાવમાં જ કરાતી ક્રિયાની ભિન્નતાને લીધે જુદા પડે તેમ નથી, પરંતુ તે ત્રણે વર્ગો મુખ્યતાએ તે મોક્ષ પામવાના ભવની પહેલાંના ભામાં કરાતી ભાવના અને પ્રવૃત્તિની ભિન્નતાને આધારે જ જુદા પડે છે. તેમાં ત્રિલેકનાથ તીર્થકર ભગવાનને અંગે જેમ શાસ્ત્રકારે મૂલ સૂત્ર નિયુકિત અને ભાષ્ય વિગેરેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે જીવ તીર્થકર થઈ શકે કે જે જીવે તીર્થકરપણાના ભાવથી પાછળના ત્રીજા ભવે બે કાર્યો જરૂર કર્યા હોય. એક તે પાછળના ત્રીજા ભવમાં અરિહંતાદિક વિશ સ્થાનકોમાંના એક, બે અગર સર્વ સ્થાનકે આરાધેલા હોવા જોઈએ, અને બીજું કાર્ય પિતાનું સંસારચક ત્રણ ભવેથી અધિકનું જેટલું હોય તે બધું તે ત્રીજા ભવમાં શેષ થાય તેમ કાપી નાખવું જોઈએ, અર્થાત્ તીર્થંકરપણે આવવાવાળા જ તીર્થકરના ભાવથી પાછળના ત્રીજા ભવે ત્રણ ભવથી અધિકના સંસારને કાપી નાખનાર હોય, એટલે તીર્થકરના જીવને ત્રણ ભવથી અધિક સંસારમાં રહેવાનું હોય જ નહિં. અહિં સમજવું જોઈએ કે તે પાછળના ત્રીજા ભવ પછી સાગરોપમે સુધી પણ તીર્થકરના સંસારમાં રાખનારા કર્મોના લીધે રહે છતાં તે તીર્થકરને જીવ પિતાના આત્મામાં તેવી ગ્યતા દાખલ કરે કે જેથી તે સાગરોપમ સુધીના કાળની સ્થિતિવાળા કર્મની હયાતીમાં પણ કેઈપણ પ્રકારે ભવની વૃદ્ધિ કરનારા કર્મો બાંધે નહિં. -
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy