SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 1 જ " મા * * * * - - - - * * * * * * * *!! | 5 5 ' 4 '' , પુસ્તક ૧-લું ભગવાન્ જિનેશ્વર મહારાજને જન્મથી વૈકિય આદિ લબ્ધિદ્વારા ચતુર્મુખપણું હોતું નથી, એ સર્વ જૈનેને માન્ય છે, એટલે સ્પષ્ટ માનવું પડે અને શાસ્ત્રકારે પણ જણાવે છે કે જ્યારે જ્યારે ભગવાન જિનેશ્વર મહારાજા દેશના દે છે, ત્યારે ત્યારે પૂર્વ દિશા સિવાયની બાકીની ત્રણેય દિશાઓમાં દેવતાઓ ભગવાનની પ્રતિમાઓ સ્થાપન કરે છે. કારણ કે ભગવાન જિનેશ્વર મહારાજનું સમવસરણમાં બિરાજવું માત્ર પૂર્વ દિશામાં હોય છે અને ચારે વિદિશામાં એટલે ખૂણામાં પર્વદાનું બેસવું થાય એ સ્વાભાવિક છે. અને ચારે ખૂણામાં ધર્મ સાંભળવા માટે જણાવેલી પર્ષદાઓનું બેસવું ત્યારે બની શકે કે ચારે ખૂણેથી શ્રી જિનેશ્વર ભગવાનનાં દર્શન સરખી રીતે થતાં હોય અર્થાત્ મૂલ અને પ્રતિબિંબમાં ફરક ગણાતું ન હોય. ત્તિ જેમ દર્શનીય તેમ વંદનીય પણ ખરી? એ ઉપરથી ભગવાન્ની ક્વલ દર્શનીયતા જ સિદ્ધ થાય છે એમ નહિ, પરંતુ તે સકલ પર્ષદા હાથ જોડીને વિનયપૂર્વક બેસતી હોવાથી તે પ્રતિમાઓ નમન કરવા લાયક હતી, એમ શાસ્ત્ર અને યુક્તિને અનુસરનારાઓએ માનવું જોઈએ. વળી જંઘાચારણ અને વિદ્યાચારણ વિગેરેએ શ્રીજિનેશ્વર ભગવાનની મૂર્તિ સ્પષ્ટપણે વંદન કરવા લાયક ગણેલી છે, જ્યારે પૂર્વ જેવા જ્ઞાનને ધારણ કરનારા અને લબ્ધિશાળી એવા મુનિરાજે જિનેશ્વર ભગવાનની પ્રતિમાને વંદનીય ગણે, તે પછી પૂર્વનું જ્ઞાન નહિં ધારણ કરનારા મુનિ-મહારાજાઓ તથા તેવી લબ્ધિથી રહિત એવા મુનિ-મહારાજાઓ તેમજ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને વંદનીય ગણે, તેમાં આશ્ચર્ય શું? પ્રતિમા પણ નિજેરાનું કારણ છે. છે એ વાત તે સહેજે સમજાય તેવી છે કે ભગવાન જિનેશ્વર મહારાજના નામનું સ્મરણ કરવાથી શબ્દવગણના એલાં પુદ્રાલે.
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy