SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - આગમત એટલું નહિ. પરંતુ શાસન અને શાસનની પ્રણાલિકાને અનુસરનાર મહાત્માઓના પ્રભાવને ઘટાડવા કવ્યહિંસક તંદુથી આ માછ કરતાં અધમ વૃત્તિને ધારનારા થયા. તેઓ દરેક સમયે અનંત-સંસારને ઉપાર્જન કરે છે અને કરાવે છે એવું ગ્રંથકારનું નિષ્પક્ષ મન ફેઈપણ પ્રકારે સુજ્ઞને આશ્ચર્ય ઉપજાવશે નહિ. જો કે ભગવાન જિનેશ્વર મહારાજના શાસનમાં કેટલાક અભવ્ય જીવે કે-જેઓ કેઈ વખત પણ સાચા ધર્મને અને સમક્તિને પામ્યા નથી, પામતા નથી અને પાસશે પણ નહિ. અને સર્વ કાલને માટે સેક્ષને માટે જેઓ અય છે છતાં તેવા અભવ્ય–ભગવાન જિનેશ્વર મહારાજના શાસનને જે નુકશાન કરતા નથી, તેવું ભયંકર નુકશાન ઉપર જણાવેલા શાસન અને શાસનની પ્રણાલિકાથી વિરૂદ્ધ વર્તનારા શાસનના અંગારાઓ કરે છે.' " એનું કારણ એ છે કે–ઉપર જણાવેલા અભવ્ય-જીવે છે કે પોતે સન્માર્ગની વાસનાથી શૂન્ય જ છે! તે પણ તેઓની પ્રરૂપણું અને વર્તન શાસન અને શાસનની પ્રણાલિકાને અનુસરતી જ હોય છે. ! અને તેથી તેવા અભચેના ભક્ત થનારાઓ પોતે વાસ્તવિક કુગુરૂ છે–તેને તે સુગુરૂ માને છે, છતાં તે સમ્યગ્દર્શનવાળા થાય છે, રહે છે અને સમ્યગ્દર્શનની કેટીએ આગળ પણ વધી શકે છે. - આ કારણથી શાસ્ત્રકારોએ સમ્યગ્દર્શનના ભેદમાં દીપકનામનું સમ્યગ્દર્શન જણાવ્યું છે કે-જે મુખ્યતાએ અભવ્યને જ હોય છે. એટલે કહેવું જોઈએ કે-અભવ્ય જેવા દ્રવ્યલિંગી સાધુને થનારો ભક્ત એ શાસનને કે પોતાના આત્માને એકકેને નુકશાન કરતું નથી. તેથી અભાના પ્રતિબોધેલા છે એટલા બધા મેક્ષે જાય છે કે જેઓના અનંતમાભાગે એક ભવ્યજીવના પ્રતિબંધેલા એક્ષમાં જતા નથી. આ વસ્તુ સમજનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે આભય જેવા દ્રવ્યસાધુના ભક્તોની ભયંકરતા કરતાં પણ શાસન અને શ્વસનની
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy