SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪-શું આ કારણથી શાસ્ત્રકાર-મહારાજાઓ તેવા શાસન અને શાસન પ્રણાલિકાથી વિરૂદ્ધ જનારા વર્ગને માટે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે–તેઓ મિથ્યાત્વના અભિનિવેશ કરીને અને અસદ્દબાવે એટલે શાસન અને શાસન-પ્રણાલિકાઓમાં નહિ એવા પદાર્થો અને પ્રણ લિકાઓએ કરીને અને ભરમાવતા અને કદાગ્રહમાં ખેંચતા રહે છે, તેથી તેઓ પિતાના આત્માને અને બીજા આત્માને અધમતમ સ્થિતિમાં પહોંચાડી સંસાર-સમુદ્રમાં રખડાવવાવાળા થાય છે. - આવા શાસન અને શાસન-પ્રણાલિકાથી વિરૂદ્ધ થનારા અને વિરૂદ્ધપણે વર્તનારા મનુષ્યો કેવળ શાસન અને તેની પ્રણાલિકાની વિરૂદ્ધતા રાખતા હોય છે એમ નહિ, પરંતુ તેવા શાસન અને શાસન-પ્રણાલિકાથી વિરૂદ્ધપણે વર્તનારા જ શાસનને અંગે જેમ અપલાપ કરનારા બને છે, તેમ શાસન અને શાસનપ્રણાલિકાને અનુસરનારા આચાર્ય ભગવંત ઉપાધ્યાય-મહારાજાઓ-ગુરૂદેવ શ્રી ચતુર્વિધ સંઘ. ગચ્છ અને કુલ એ બધા જે સંસાર-સમુદ્રથી ખરેખર તારનારા અને આલંબનરૂપ પદાર્થો છે, તેના અપજશને કરનારા બને છે, તેના અવર્ણન કરનારા બને છે. તેની અપકીતિને કરનાર બને છે, તેની છાયાને નાશ કરનારા બને છે, એટલું જ નહિ, પરંતુ રાત-દિવસ તેવા શાસન અંગારાઓનું ધ્યાન માત્ર શાસન અને શાસનની પ્રણાલિકાઓનું નાશ કરવા તરફ હાય છે. એટલે ધર્મધ્યાન અને શુકલધ્યાનની તો તેવા શાસનના અંગારાઓમાં સ્વપ્ન પણ છાયા સરખી ન હોય. પરંતુ સામાન્ય આર્ત અને રૌદ્ર ધ્યાન જેવા ધ્યાનમાં પણ કલ્પી ન શકાય તેવા પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનમાં તેનું ચિત્ત વર્તતું હોય છે. આ વસ્તુ જ્યારે સમજવામાં આવશે ત્યારે જ સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે–એવા શાસનના અંગારાઓ કે જેઓ શાસન અને શાસનની પ્રણાલિકાથી જુદા પડ્યા, વિરૂદ્ધ પડ્યા, અને શાસનાદિનું ખંડન કરવામાં તત્પર થયા...
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy